SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તીર્થ સર્વસંગ્રહ ધો હતે. પં. શ્રીલ્યાણવિજયજીની કાળગણના મુજબ આ ઘટના વીરનિર્વાણ સંવત ૮૨૭ થી ૮૪૦ (વિ. સં. ૩૫૭ થી ૩૭૦ )માં બની હતી. એ સમયે આ પ્રદેશમાં પડેલા ભારે દુષ્કાળથી જેમાં મુખ૫મુખ રહેતી થતપરંપરા વિચ્છિન્ન થવા માંડી. જાણે જેન શાસનને મજબૂત પાયા હાલી ઊઠયા. એ સમયે દૂરંદેશી એક આચાર્ય—પંગ કમર કસી. કૃતધર આર્ય કંદિલ વિદ્યાધર આમ્નાયના અને શ્રીપાદલિપ્તસૂરિની પરંપરાના સમર્થ આચાર્ય હતા. એમની આ પ્રદેશમાં ભારે નામના હતી. આ ભદ્રબાહસ્વામીના સમયે પડેલા દુકાળની સ્થિતિ પછી થયેલી “પાટલીપુત્રની વાચના” એમના લક્ષમાં હતી. દુષ્કાળના ઓછાયા દૂર થતાં જ તેમણે જૈન શ્વેતાંબર શમણુસંઘને એકઠો કરી આગમવાચનને પાઠ વિશુદ્ધ કર્યો હતે. આ ઉપરથી એટલું નિઃસંદેહ સિદ્ધ થાય છે કે જેથી શતાબ્દીમાં મથુરા જૈનધર્મનું મોટું કેંદ્ર હતું. એ પછી કને જન પ્રતિહારવંશીય નાગભટ્ટ અથવા નાગાવલેક તરીકે જે ઈતિહાસમાં પ્રસિદ્ધિ પામ્યું છે તેને જેનેએ આમરાજાના નામે ઓળખાવ્યું છે. તેણે શ્રીબમ્પટ્ટિસૂરિના ઉપદેશથી સં. ૮૨૬ માં આ તીર્થધામને ઉદ્ધાર કરાવી અહીં એક જિનાલય બંધાવ્યું હતું. તેમાં પ્રતિષ્ઠિત મૂળનાયકની મૂર્તિ ગ્વાલિયરથી લાવવામાં આવી હતી. છેવટે સેળમાં સેકામાં મંત્રી કર્મચંદ્ર મથુરાના જિનાલયને ઉદ્ધાર કરાવ્યું હતું. ચૌદમા સૈકામાં થયેલા શ્રીજિનપ્રભસૂરિ પિતાના વિવિધ તીર્થકલ્પમાં આ નગરીના વૈભવને અને અહીંના પવિત્ર ધામની શોભાને વાસ્તવિક પરિચય કરાવતાં કહે છે: “મથુરા બાર એજન લાંબી અને નવ જન પહોળી હતી. એની આસપાસના કેટ-કિલ્લાને યમુનાનાં પાણી સ્પર્શતાં હતાં. ધવલગ્રહે, દેવાલયે, જિનાલયે, વાવ, કુવા, પુષ્કરિણી અને હાટોને અહીં પાર નહોતે.” જો કે આ સમૃદ્ધ શોભા ક્યા સમયે હતી એ એમણે નેંડ્યું નથી, સંભવ છે કે, ઈ. સ. પૂર્વેની બીજી શતાબ્દીથી લઈને અગિયારમી શતાબ્દી સુધીમાં વિકાસ પામેલી આ સમૃદ્ધિનું વર્ણન હશે. શ્રીજિનપ્રભસૂરિના સમયમાં પણ અહીં મહાલક્ષ્મી નિર્મિત સ્તૂપ, કલ્પકુમ (પાર્શ્વ મંદિર) અને શ્રી નેમિનાથ પ્રાસાદ વગેરે પવિત્ર સ્થળ મૌજુદ હતાં. * હીરસૌભાગ્યકાર શ્રીદેવવિમલ ગણી કહે છે કે, “ શ્રીહીરવિજયસૂરિ જ્યારે સંઘ લઈને અહીં આવ્યા ત્યારે તેમણે શ્રી સુપાર્શ્વનાથ અને શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં (બે મંદિરેમાં) દર્શન કર્યા હતાં. વળી, શ્રી જંબુસ્વામી અને શ્રી પ્રભવસ્વામી વગેરેનાં પર૭ સાધુ-સાધ્વીઓના સ્તૂપની તેમણે ગણના કરી હતી ? આજે આ પ્રાચીન વૈભવ અને પવિત્ર સ્થળે મૌજુદ નથી. લગભગ અગિયારમી શતાબ્દી પછી અહીં જેનધર્મની આથમતી કળા જોવાય છે. સત્તરમી સદીમાં એ બુઝાતી કળાને દી કંઈક સ કેરાયે ખરો પરંતુ તે પછી ઔરંગઝેબના ઝંઝાવાતી ઝાંપટા આગળ ટકી શકે એવું એનું ગજુ નહતું. પુરાતત્ત્વની દૃષ્ટિએ જોઈએ તે અહીંનાં પ્રાચીન અવશેની શોધ થઈ હતી ત્યાં સુધી આ નગરી વૈદિક સંસ્કૃતિનું પ્રાચીન તીર્થધામ મનાતી હતી. બૌદ્ધોએ પણ એને પોતાની તીર્થભૂમિ બતાવી હતી પરંતુ મથુરાના જૂના કિલાથી ૧ માઈલ દર આવેલા કંકાલી ટાલા” નામે ઓળખાતા સ્થળનું ઉખનન કરવામાં આવ્યું ત્યારે જ જૈનધર્મ સાથે સંબંધ ધરાવતી પુરાતત્વની સામગ્રીએ જેના ઉપર્યુક્ત દાવાને પુરવાર કરી બતાવ્યું છે. ઈતિહાસની દષ્ટિએ મથુરાના શિલાલેખે ઈ. સ. પર તથા પછીના ઈડેસિથિયન સમયના જૈનધર્મની પ્રગતિને અચૂક પુરાવે છે તેની ના પાડી શકાય એમ નથી. ભારતીય વિદ્વાન રા. બ. રાધાકૃષ્ણજી કહે છે: “મથુરા જેને માટે પહેલા નંબરે, બૌદ્ધો માટે બીજા નંબરે અને વૈષ્ણવો માટે ત્રીજા નંબરે છે. મતલબ કે, અહીંના કંકાલી ટીલાથી જે પ્રાચીન શિલાલેંખ અને મૂર્તિઓ વગેરે જે કંઈ વસ્તુઓ નીકળી છે તે અંધામાં પ્રાચીન વસ્તુ જેની મળી છે. તે પછી બૌદ્ધોની અને એ સમય પછીની વેષ્ણની છે.” વિન્સેટ સ્મિથે “Jain stupa of Mathura માં વુિં છે કે, “કનિંઘહામને જે વસ્તુઓ અહીંથી મળી આવી છે, તેમને ભાગ બ્રાહ્મણ ધર્મની સશસ્ત્ર મૂર્તિઓને બાદ કરતાં બધી જેનેની જ મળી આવી છે.” વસ્તુતઃ ઈ. સ. ની કેટલીયે શતાબ્દી પૂર્વે મથુરામાં મૂર્તિ-નિર્માણ થવા લાગ્યું હતું પરંતુ બુદ્ધની મૌલિક અને ૯. “વર નિર્વાણ સંવત ઔર જેન કાલગણના–પૃ. ૧૬. ૧૦. “વિવિધ તીર્થકલ્પ' પૃ. ૧૯.
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy