SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ જૈન તીર્થ સર્વસંગ્રહ બૌદ્ધધર્મના કારણે આ નિંદા કરવામાં આવી હોય એમ માની શકાય એમ નથી, કેમકે સંહિતાની રચના બુદ્ધદેવના ઉદય પહેલાં થઈ ચૂકી હતી એમ માનવામાં આવે છે. વળી, ત્રાત્યેની માન્યતા વિશે શ્રીજયચંદ્ર વિદ્યાલંકારના આ કથનથી સમર્થન મળે છે કે, “આ વા અહત અને ચેના ઉપાસક હતા, જેઓ બુદ્ધથી પહેલાં વિદ્યમાન. હતા. આ હકીકત જૈનધર્મની સ્થિતિ ઉપર આ છે પ્રકાશ પાથરે છે. ડો. ભાંડારકર ઉપર્યુક્ત હકીક્તને ટેકે આપતાં સ્પષ્ટ કહે છે કે, “પ્રાચદેશના લોકેને જૈનધર્મ આર્ય બનાવ્યા હતા.૩ વતત: વૈદિક કાળમાં મગધ, બિહાર, બંગાલ અને ઓરિસાને પ્રદેશોમાં જૈનધર્મને ખૂબ પ્રચાર હતે. તેથી જ વૈદિક લેકેને એના પ્રભાવથી બચાવી લેવા માટે કડક આદેશ કરવામાં આવ્યું હતું આ હકીકતને આપણે કંઈક વિગતથી જોઈએ. જેનાં “પ્રજ્ઞાપના સૂત્ર” અને “ત્રિષષ્ટિશલાકા પુરૂષચરિતમાં રપા આર્યદેશે ગણવેલા છે, જેમાં તીર્થકરે, ચક્રવર્તીએ, બલદેવ અને વાસુદેવ આદિને જન્મ થતું હતું અને જે પ્રદેશમાં જેન શ્રમણ વિહાર કરી શક્તા એ જનપદ અને તેની રાજધાનીનાં નગરોનાં નામે ઉક્ત ગ્રંથમાં આ પ્રકારે આપેલાં છે રાજધાની રાજગૃહ રાજધાની નંદિપુર દ્વિલપુર ચંપ વિરાટ જિનપદ ૧. મગધ ૨. અંગ ૩. બંગ ૪. કલિંગ ૫. કાશી ૬. કેશલ ૭. કુરુ ૮. કુશાવત ૯ પાંચાલ ૧૦. જંગલ ૧૧. સૌરાષ્ટ્ર ૧૨. વિદેહ ૧૩. વસ્ત્ર તાશ્રલિપ્તિ કાંચનપુર વારાણસી સાકેત ગજપુર જનપદ ૧૪. શાંડિલ્ય ૧૫. મલય ૧૬. મત્સ્ય (વચ્છ) ૧૭. વરણા ૧૮. દશાર્ણ ૧૯. ચેદિ ૨૦. સિંધુ-સૌવીર ૨૧. સૂરસેન ૨૨. ભંગી ૨૩. વાર્તા ૨૪. કુણાલ ૨૫. લાટ ૨૫ કેકય–અધ શૌરીપુર કાંપિલ્યપુર અહિચ્છત્રા દ્વારવતી મિથિલા કૌશાંબી અચ્છ મૃત્તિકાવતી શક્તિમતી વીતભયપત્તન મથુરા પાવાપુરી માસપુરી શ્રાવસ્તી. કેટિવર્ષ તાંબી આ જનપદમાં ગણાવેલા સૌરાષ્ટ્ર, દશાર્ણ, સિંધુ-સૌવીર, ચેદિ આદિને બાદ કરતાં મોટા ભાગના જનપદો ઉત્તર પ્રદેશ, બિહાર-બંગાલ અને તેની આસપાસમાં આવેલા છે. આ પ્રદેશોમાં કેટલાંક સ્થળે તે પ્રાચીન કાળનાં જૈનધર્મનાં મુખ્ય કેદ્રધામ બની ચૂકયાં હતાં, જે સ્થળોનાં નામ ઉપરથી જૈન શ્રમણાના ગણુ, શાખા અને કુલનાં કેટલાંક નામ. પ્રસિદ્ધિમાં આવ્યાં હતાં. “કલ્પસૂત્ર'ની “વિરાવલી માં એવાં કેટલાંક ગણુ, શાખા અને કુલેનાં નામે ઉલેખ્યાં છે. તે આ પ્રકારે છે – ગદાસ ગની શાખાઓ–તામલિરિયા, કડિવરિસિયા, કુંડવદ્ધણિયા, દાસી ખખ્ખડિયા. ઉત્તરબલિસ્સહ ગણની શાખાઓ—કે સંબિયા, ઈન્ડિયા (યુરિવત્તિયા), કેબી , ચંદનાગરી. ઉદ્દે ગણની શાખાઓ–ઉદંબરિજિયા, માસપુરિયા, મઈપત્તિયા, પુeણપત્તિયા. કુલ–નાગભૂય, સેમભૂય, ઉલ્લગચ્છ, હત્યલિજજ, નંદિ, પારિહાસય. ૨. “ભારતીય ઇતિહાસણી રૂપરેખા' પૃ. ૪૦૧–૦૨. 2. Annals of the Bhandarkar Oriental Institute. Vol. XII, P. 110.
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy