SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તીર્થ સર્વસંગ્રહ ૩૩ ભમતી વગેરે ખંડિત અવસ્થામાં છે. એની આસપાસ વિશાળ એક છે. તેમાં મૂર્તિ નથી પરંતુ મૂર્તિ સ્થાપન કર્યાનાં ચિ છે. " માંડવગઢથી એકાદ માઈલ દર મલિક મુગિસની એક મસ્જિદ છે. તેમાં થોડા ફેરફાર સિવાય થાંભલા વગેરે બધાં નિશાને જૈન મંદિરનાં જણાય છે. બીજાં જાળીમસ્જિદ વગેરે મકાને પણ મુસ્લિમકાળમાં જેન મંદિરમાંથી પરિવર્તિત કરવામાં આવેલાં હોય એવાં પ્રમાણ મળે છે. આ તેરમા સૈકાથી લઈને સત્તરમા સૈકાની માંડવગઢના શ્રેષ્ઠીઓએ ભરાવેલી મૂર્તિઓ માંડવગઢ અને બીજે સ્થાને આજે પણ મોજુદ છે. ચડતી પછી પડતીના અચલ નિયમનું ભાન કરાવતું આ માંડવગઢ પિતાના ઉજજવળ યશેદેહે ઈતિહાસના પૃદમાં અક્ષર બનેલું છે. તારાપુર : માંડવગઢથી ૨ માઈલ દૂર તારાપુર નામને દરવાજો છે. ત્યાંથી રા-૩ ગાઉ દૂર તારાપુર નામે ગામ છે. ત્યાં જવાને, માર્ગ વિષમ છે. સીધે પહાડ ઊતરીને ત્યાં જવાય છે. ત્યાં શ્રી સુપાર્શ્વનાથનું મંદિર છે. અત્યારે એ મંદિરમાં મૂર્તિ નથી પણ મંદિર સાબુત ઊભું છે. તારાપુરના મંદિરની જૂનામાં જૂની પ્રતિમા આજે કુકસી પાસેના તાલનપુરના જિનમંદિરમાં છે, તેના ઉપર સં. ૬૧૨ને લેખ અમે “તાલનપુર”ના વર્ણનમાં નેણે છે. મંદિરની બારશાખમાં તીર્થકરની મંગળમૂર્તિ અને કળશ-કુંભ વગેરે ચિહને મોજુદ છે. મૂળગભારાને ત્રણ વાર છે. તેમાં લાલ પાષાણુની વેદી છે. પૂર્વ-પશ્ચિમ બે ગેખો તરણેથી અલંકૃત છે. રંગમંડપ ૧૮૪૧૮ ફીટને સમરસ છે. ગુંબજમાં લાલ પાષાણની બાર નૃત્યપૂતળીઓ શોભે છે. બીજી કેરણ પણ મનહર છે. મંદિરના બહારના ભાગમાં આટલા છે. તેના ઉપરના ભાગમાં ગેખ છે, તેમાં પૂર્વ તરફના ગોખમાં સિદ્ધચક્ર, સમવસરણ આદિની રચના શ્યામ પાષાણમાં કરેલી છે. ગયાસુદ્દીન બાદશાહના મંત્રી ગોપાલે આ મંદિર સં. ૧૫૫૧માં બંધાવ્યા સંબંધી લેખ મંદિરમાં હયાત છે. . ૧.૮૪. ધાર (ઠા નંબર : ૩૩૪૪-૩૩૪૫) મહ સ્ટેશનથી ૩૬ માઈલ દૂર ધાર નામે નગર છે. પ્રાચીન કાળની ધારા નગરી એ જ આજનું ધાર છે. આ નગરી કયાર વસી એ વિશે “પ્રબંધચિંતામણિમાં ઉલ્લેખ છે કે-અનિતાલ નામને વ્યંતર દેવ કાશ્મીરની ઉજેનીમાં આવ્યું અને ધારા નામની ગણિકાના મેહમાં ફસાયે, એ સમયે ઉજૈનીના રાજાએ કેઈની પાસેથી પુરાણકાલીન લંકાનું વર્ણન સાંભળી એવું ફરમાન બહાર પાડયું કે જે કઈ લંકાનું હુબહું ચિત્રપટ્ટ બનાવી આપે તેને મેં માગ્યું ઈનામ આપવામાં આવશે. ધારા ગણિકાએ અગ્નિતાલની સહાયથી એ ચિત્રપટ્ટ બનાવી રાજાને બતાવ્યું ત્યારે રાજાએ પ્રસન્ન થઈ ઈચ્છિત વરદાન માગવા સૂચવ્યું. ધારાએ જણાવ્યું કે, “મારા નામે નવી નગરી વસાવવામાં આવે. ? આ ઉપરથી રાજાએ એ ગણિકાના નામ ઉપરથી તેના ચિત્રપટ્ટના આધારે ધારાનગરી વસાવી. આ હકીકતમાં સત્યાંશ કેટલું છે એ જાણવું મુશ્કેલ છે. શ્રીનંદકિશાર દ્વિવેદીએ “ધારરાજ્યકા ઈતિહાસમાં જણાવ્યું છે કે, પંવાર વૈરિસિંહ બીજાએ સને ૧૪ થી ૯૪૧ની વચ્ચે શત્રુઓને તરવારની તીણ ધારાથી મારી ભગાડ્યા અને નવું નગર વસાવ્યું, જેનું નામ ધારાનગરી પાડવામાં આવ્યું. : ધારાનગરી પ્રાચીન છે અને પુવાર રાજાએ વસાવેલી છે એમાં શંકા નથી. માલવાના પરાક્રમી અને સંસ્કાર પ્રિય મંજ અને ભેજની અહીં રાજધાની હતી. ધનપાલ જેવા પ્રખર પંડિતેથી આ રાજાઓની રાજસભા અજેય ગણાતી. એ જ ધનપાલે બનાવેલા ગ્રંથો આજે.જૈન સાહિત્યના અમૂલ્ય ગ્રંથરૂપે પ્રશંસા પામ્યા છે. ભેજના સમયે
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy