SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ પરિષદ્વી બંને બેઠકમાં માનવંત પ્રમુખ સાહેબ તરફથી જૈનોની યોગ્ય કદર થઈ છે જ. સ્વ. સાક્ષરશ્રી ગોવર્ધનરામભાઈના ભાષણમાંથી ઉતારે કરિયે. શતક ૧૪ મું-ગુજરાતમાં તેજસિંહના એક ગ્રંથ વિનાના સર્વ ગ્રંથે માત્ર જૈન સાધુઓના રચેલા છે. એ ગ્રંથ પણ મોટા ભાગે ધર્મ સાહિત્યના અને સંસ્કૃત સાથે પ્રાકૃતમાં પણ છે. એ સાધુઓએ તેમના ગચ્છોને આશ્રય પામી આટલે સાહિત્યક્ષ ઉગવા દીધો છે ” ઈત્યાદિ. ગુજરાતી સાહિત્યનું મૂળ પ્રથમ રેપાયું તે વેળા દિલ્હીના બાદશાહ, ગુજરાતના સુબાઓ અને નાના સરદારેને વિગ્રહ આ યુગના આરંભથી ૧૩૫૦ સુધી ચાલ્યો અને તેને ક્ષોભ ઝાલાવાડ, જુનાગઢ, ગેંડળ વગેરે કાઠિયાવાડના ગામમાં અને બાકીના ગુજરાતમાં ચાલી રહ્યા હતા. તેવામાં જૈન ગચ્છના ચાર પાંચ સાધુઓ ઉક્ત ગુજરાતી સાહિત્યને એકલા આધારભૂત હતા. તે પછીના પચીશેક વર્ષમાં પણ બીજા પાંચેક જૈન સાધુઓ એવા આધારભૂત હતા. ” “ જૈન સાધુઓ જેટલી સાહિત્યધારા ટકાવી શક્યા તેને કાંઈ અંશ પણ અન્ય વિદ્વાનમાં કેમ ન દેખાય ? તેઓ જ્યાં ભરાઈ બેઠા હતા.” “ જૈન ગ્રંથકારની ભાષા તેમના અસંગ જીવનના બળે શુદ્ધ અને સરળ રૂપે તેમના સાહિત્યમાં જુરે છે, ત્યારે આખા દેશના પ્રાચીન ભીલ આદિ અનાર્ય જાતિઓ અને રાજકર્તા મુસલમાન વર્ગ એ ઉભયના સંસર્ગથી બ્રાહ્મણ વાણિયાઓની નવી ભાષા કેવી રીતે જૂ ૬ ધાવણ ધાવી બધાઈ એ પણ તેમના આ ભ્રમણના ઈતિહાસથી સમજાશે. એ સાધુઓની અને આ સંસારીઓની ઉભયની ગુજરાતી ભાષા જુદે જુદે રૂપે બધાવા પામી.” “ શતક ૧૫ મું (ઉત્તરાર્ધ) પાટણ નગરમાં જૈન સાધુઓ પ્રથમની પેઠે પાછા સંસ્કૃત-પ્રાકૃતમાં સાહિત્યને રચાવા લાગ્યા હતા અને રાજકીય સ્થાન મટી એ પણ તે કાળે તીર્થ નહિ તે તીર્થ જેવુંજ આ સાધુઓએ કરેલું જણાય છે.” Imperial Gazetteer of India ની ૧૯૦૭ ની આવૃતિમાં Jainism વિષે નીચે પ્રમાણે લખે છે –
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy