SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રેણીભેદ-સમ્યત્વ : પ૫ : ચેકસ સમ્યકત્વ પ્રાપ્ત કરે છે તેથી તેની મને ભાવના અને વર્તનમાં અને પ્રાકૃત પ્રાણીઓના દહિમાન જીવનું વર્તન વર્તનમાં, વિચારમાં અને ઉરચારમાં મેટે તફાવત પડી જાય છે. એ વર્તનના ઊંચામાં ઊંચા ગુણે–જેવા કે ન્યાયસંપન્ન વિભવ, દાક્ષિણ્ય, દયા, વડીલને માન વિગેરે તે તેનામાં પ્રથમની ચાર દૃષ્ટિમાં આવી જાય છે એટલે કે નીતિનાં ઊંચામાં ઊંચા તર અથવા સગુણે તે તેનામાં જ્યારે તે માર્ગાનુસારી થાય છે ત્યારે જ આવી જાય છે. તેથી ઊંચામાં ઊંચા સદ્દગુણવાળો તે હવે જ જોઈએ એમ કહેવાની જરૂર નથી, છતાં એટલું જણાવવું જોઈએ કે એવા સદૂગુણેને તેનામાં સદ્ભાવ હોય છતાં તે સમ્યકૃત્વવાન હોય કિંવા ન હોય, પણ જેઓ નીતિના ઊંચામાં ઊંચા નિયમ પાળતા ન હોય તેનામાં સર્વજ્ઞકથિત સમ્યક્ત્વને સદ્ભાવ હે અસંભવિત છે. જેને સમ્યકત્વ પ્રાપ્ત થયું હોય તેનામાં ઉરચ સદ્ગુણે અવશ્ય લેવા જોઈએ. અતિ ઉચ્ચ નીતિના નિયમ પાળનાર પ્રાણુ જ ભગવાનના સમ્યકત્વને અધિકારી થઈ શકે છે એ વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે, કારણ કે શ્રદ્ધાનને અંગે વર્તનને નિયમ થઈ જાય છે. પિતાનામાં સમ્યક્ત્વનું અસ્તિત્વ માનનારનું ઢંગધડા વગરનું વર્તન જોઈ તેઓની માન્યતા ઉપર ખેદ થાય છે તેમાં આશ્ચર્ય જેવું નથી. સમ્યકત્વ ઉચ્ચ સદ્દગુણ વગર હોઈ શકે અથવા ટકી શકે એમ માનવું એ ધૃષ્ટતા છે. જો કે સમ્યકત્વ તે શુદ્ધ શ્રદ્ધાન છે પરંતુ ત્યાં ઉત્તમ ગુણેને બહુધા સદ્દભાવ હોવાનો સંભવ છે. તેમ હોય તે જ સમ્યકત્વ વિશેષ ટકી પણ શકે છે, નહીં તે સમકિતથી ચુત થતાં વાર લાગતી નથી,
SR No.011523
Book TitleJain Drushtie Yoga
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1974
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy