SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દષ્ટિએ યોગ પ્રતિબન્ધ થતું નથી અને આવી રીતે સાવઘત્યાગથી અને ઈચછાપ્રતિબધના અભાવથી અથવા અટકાવથી ઉન્નતિ કમ બહુ સારી રીતે પ્રગતિમાં મૂકાય છે અને એ દષ્ટિમાં વર્તતા પ્રાણુને મહેદય થતું જાય છે. બીજી દષ્ટિ કરતાં અહીં ઉન્નતિકમમાં સવિશેષ પ્રગતિ થાય છે અને એટલે વધારે થાય છે કે સમ્યગબોધનું સામીપ્ય સ્પષ્ટ જણાય છે. સાધારણ રીતે અમુક વિચાર માત્રની ઉત્પત્તિથી પોતાની જાતને સમ્યક્ત્વવાનું અથવા સમકિતી માનનારને તે અહીં ઊભા રહેવાનું સ્થાન જ નથી, એ સ્પષ્ટ રીતે આ દષ્ટિમાં વર્તતા છનાં લક્ષણે ઉપરથી સમજાયું હશે. ૪. દીપ્રાદષ્ટિ ચથી દીપ્રાદષ્ટિમાં યોગના ચતુર્થ અંગ પ્રાણાયામને લાભ પ્રાપ્ત થાય છે. એ પ્રાણાયામ અંગ પ્રાણાયામ ચતુર્થ સંબંધી વિવેચન હવે પછી થશે. પરંતુ અગ અહીં એટલું જણાવી દેવું જોઈએ કે અહીં પ્રાણાયામને લાભ થાય છે તેને અર્થ એ સમજવાને છે કે બાહ્ય ભાવને અહીં રેચક થાય છે, અંતર ભાવને પૂરક થાય છે અને સ્થિરતા ભાવને કુંભક થાય છેઃ એટલે કે રેચક, પૂરક અને કુંભક નામના પ્રાણને જે આયામ થાય છે તે આ અર્થમાં સમજવાનું છે. આગળ કહેવામાં આવશે ત્યારે સ્પષ્ટ સમજાશે કે બાહ્ય અથવા સ્થળ અર્થમાં જે પ્રાણાયામ શબ્દ વપરાય છે તેવા પ્રકારના પ્રાણાયામથી આત્મિક ઉન્નતિમાં બહુ લાભ થતું નથી. અહીં પ્રાણાયામ શબ્દ આ પ્રમાણે યૌગિક અર્થમાં સમજવાને છે અને આવા પ્રકારના પ્રાણાયામથી ગ્રંથભેદ
SR No.011523
Book TitleJain Drushtie Yoga
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1974
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy