SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ : ૪૦ : * જૈન દૃષ્ટિએ યાગ ૩. અલાદ્રષ્ટિ ત્રીજી ખલાષ્ટિમાં સાધ્યનુ દન કાંઈક વિશેષ દૃઢ થાય છે. અહીં સુધીમાં ગ્રંથીભેદની નજીક ચેતન આવી જાય છે તેથી હવે તેની ઉત્ક્રાન્તિ બહુ સારી રીતે થાય છે. સંસારચક્રનાં અનેક પરાવતનામાં તેને જે ખ્યાલ થયા ન હાય, જે વિચારા આવ્યા ન હાય, જેવું આત્મિક ખળ પ્રગટ થયેલુ અનુભવ્યું ન હોય, તેવા તેવા પ્રગટ ભાવા તે સ્વમાં અહીં સ્પષ્ટ રીતે જુએ છે. આ દૃષ્ટિમાં પ્રાણી જ્યારે વર્તતા હાય છે ત્યારે તેનામાં એક એવા પ્રકારની સ્થિરતા આવી જાય છે કે તેથી તેને અસત્ વસ્તુ ઉપર તૃષ્ણા થતી અટકી જાય છે. સામાન્ય રીતે પૌદ્ગલિક પદાર્થી પ્રાપ્ત કરવા માટે આ જીવને બહુ તૃષ્ણા હાય છે અને તે તૃષ્ણાને લઈને તે અનેક પ્રકારનાં દુઃખા સહન કરીને પણ વસ્તુપ્રાપ્તિ માટે પ્રયત્ન કર્યાં કરે છે. પ્રાપ્તિ તા કર્માંધીન છે. પણ તૃષ્ણાને લીધે તે અનેક રીતે વલખાં મારે છે—આવા પ્રકારની તૃષ્ણા જેનું સ્વરૂપ અન્યત્ર બહુ વિસ્તારથી વિચાયુ" છે તે અહીં નિવૃત્તિ પામી જાય છે અને તેથી તેનામાં પ્રકૃતિસૌમ્યતા એવી સારી આવી જાય છે કે તેને ' આસન નામના ત્રીજા યાગાંગની પ્રાપ્તિ થાય છે. એ સવ ચાંગાંગનું સ્વરૂપ હવે પછી વિચારવાનું છે. પ્રથમની એ દૃષ્ટિમાં જેમ અદ્વેષ અને જિજ્ઞાસા ગુણ પ્રાપ્ત થાય છે તે પ્રમાણે અહીં ‘શુશ્રૂષા’ શ્રવણુની ઈચ્છા-તત્ત્વશ્રવણે છા ષા ગુણુ અતિ સુંદર ઉત્પન્ન થાય છે. એની તત્ત્વશ્રવણેચ્છા કેવી પ્રબળ હાય છે તેનું વ્યાવહારિક દૃષ્ટાંત આપતાં શ્રી હરિભદ્રસૂરિ કહે છે કે-મહુ સુંદર 1
SR No.011523
Book TitleJain Drushtie Yoga
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1974
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy