SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ : જેની દષ્ટિએ યોગ પાનાનિ નામા શરીરની અને મનની શુદ્ધિ તે શૌચ, પ્રાણયાત્રાને નિભાવનાર પદાર્થો સિવાય અન્યની અસ્પૃહા તે સંતેષ, અનેક પ્રકારના તપ તેમજ સાથે પાંચ નિયમ સુધા પિપાસાદિ પરિષહ, સૂત્ર ગ્રંથ વિગેરે નું અધ્યયન તે સ્વાધ્યાય અને દેવગુરુને નમસ્કાર કરવા અને આત્મતત્વનું ચિંતવન કરવું તે ઈશ્વરપ્રણિધાન. આ પાંચ નિયમે અહીં પ્રાપ્ત થાય છે. આ દષ્ટિમાં બધ ગોમયના અગ્નિના કણ જે હોય છે એટલે છાણના અગ્નિને કણ જેમ ગરમીમાં વધતું જાય છે અને તે વખત ટકે છે તેવા પ્રકારને બેધ અહીં થાય છે. પ્રથમ દૃષ્ટિમાં તૃણના ભડકા જેવો બેધ કહ્યો તેનાથી અહીં વધારે બંધ થાય છે, પરંતુ તે લાંબા કાળ સુધી ટકી રહે તેવો થતો નથી. પ્રથમ દૃષ્ટિમાં જેમ અદ્વેષ ગુણ પ્રાપ્ત થાય છે તેમ અહીં જિજ્ઞાસા' ગુણ પ્રાપ્ત થાય છે, એટલે તત્વજ્ઞાન મેળવવાને માટે લાલસા અથત મનમાં અભિલાષા ઉત્પન્ન થાય છે. જેવી રીતે બાળકને સારાં સારાં રમકડાં, ઘડિયાળ વિગેરે લેવાની બહુ હોંશ થાય છે અને નવું નવું જાણવાની પ્રબળ ઈચ્છા થાય છે તેવી રીતે અહીં પ્રાણીને તત્વબોધ પ્રાપ્ત કરવાની પ્રબળ જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. પ્રથમ દષ્ટિમાં જે શુભ કાર્યો કરવામાં અનુદ્વેગ થતું હતું તે અહીં વિશેષ સ્પષ્ટ રીતે થાય છે અને તે તે કાર્ય સિદ્ધ કરવા માટે અનેક પ્રકારના નિયમે આદરે છે. મનની એક સરખી સ્થિતિ સર્વ અવસ્થામાં ટકી શકતી નથી. શુભ ઉપદેશના શ્રવણ વખતે જે શુભ વિચારે ઉત્પન્ન થાય છે તેવા સર્વદા બની રહેતા નથી; તેટલા માટે એવા શુભ
SR No.011523
Book TitleJain Drushtie Yoga
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1974
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy