SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ * ૩૪ જૈન દષ્ટિએ યોગ આ દીર્ઘ વિચારથી લખાયેલા દષ્ટિભેદના સૂત્રજ્ઞાનથી પિતાને તેટલી હદે વધેલા ન જોઈ શકે તે તેમાં અન્ય દેષ નથી. ભૂલભરેલી ભ્રમણામાં રહેવું અથવા દાંભિક અવસ્થા ધારણ કરવા કરતાં મૂળ સ્થિતિ સમજી તે હદ સુધી ચેતનજીને ઉન્નત કરવા વિચાર કર એ જ સાધ્ય છે અને એને અંગે કદાચ બેટી ભ્રમણું ચાલતી હોય તે તે ખાસ દૂર કરવા ગ્ય છે. ઘણાખરા ઓઘદૃષ્ટિવાળા જ પિતાને “સમકિતી માની લેવાની ભૂલ કરે છે તે હવે પછીની ત્રણ દષ્ટિનું અને આ દષ્ટિમાં રહેલા છે સંબંધી વિવેચન વાંચવાથી પિતાની ખલના સમજી જશે અને વિચારશે કે મહાવિમલા સમ્યકત્વ જેવી શુદ્ધ દશાએ પહોંચવા માટે બહુ કરવાની-ઘણું સાધને એકઠાં કરવાની જરૂર છે. જ્યાં પિતાને પગ મૂકવાને પણ અધિકાર ન હોય ત્યાં એકદમ પ્રથમને બદલે પાંચમી દષ્ટિની વાત કરવી એ એક રીતે ઉદ્ધતપણું છે. પ્રસંગવશાત્ આપણે અન્ય વાત ઉપર ઉતરી ગયા, પરંતુ વેગને અંગે આવી અનેક પ્રકારની ભ્રમણ થતી જેવામાં આવે છે તે દૂર કરવાની ખાસ જરૂર હોવાથી આટલે વિષયાંતર પ્રાસંગિક ગણવામાં આવેલ છે. આ પ્રથમ મિત્રાદષ્ટિમાં વર્તતા ને બીજકથા સાંભળીને ને મનમાં બહુ આનંદ આવી જાય છે, એ તે સવેગ ભાવની, અનુકંપાની, સામ્યતાન, ઔદાર્ય શૈર્ય ગાંભીર્યની કથા સાંભળી રાજીરાજી થઈ જાય છે, એને એવી વાત ઉપર એટલે આનંદ ઉપજે છે કે તેનું વર્ણન કરી શકાય નહિ. બીજી દષ્ટિ પર વિવેચન કરવા પહેલાં અહીં જણાવવું ઠીક
SR No.011523
Book TitleJain Drushtie Yoga
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1974
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy