SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૩૦ જેની દષ્ટિએ યોગ એગબીજની વાવણી કરે છે. વીતરાગ સર્વજ્ઞ ભગવાન તરફ અદ્વેષયુક્ત કુશળ ચિત્ત રાખી તેઓને નમસ્કાર-પ્રણામ કરી તેઓની ભાવના હદયમાં રાખી તેમના જેવા થવાના સાધ્યને ગબીજ' કહેવામાં આવે છે. એવા પ્રકારના ગબીજની આ દૃષ્ટિમાં વાવણી થાય છે અને તેનું ફળ ઉત્તરોત્તર દષ્ટિમાં પ્રગતિ કરતાં પ્રાપ્ત થતું જાય છે. અહીં સ્થિત થયેલ આત્મા જે શુભ કાર્ય કરે છે તે ઉપાદેય બુદ્ધિથી કરે છે, સંજ્ઞાની પેઠે ક્ષયપશમની વિચિત્રતાથી ઉત્પન્ન થયેલા ભાવયુક્ત કરે છે અને ફળની અપેક્ષા રાખ્યા વગર કાર્યના શુદ્ધત્વની ખાતર જ તે કામ કરે છે. આવી રીતે અર્પણબુદ્ધિ માફક કરાયેલા કામમાં નિષ્કામ વૃત્તિ હોવાથી તેની પ્રગતિ આગળ વધતી જાય છે તે પણ હજુ તે બાહ્ય દશામાં વર્તતે હોય છે, છતાં તેનાં કાર્યનું ફળ આગળ જતાં મેક્ષપ્રાપ્તિરૂપ થાય છે તેથી મેક્ષનું પ્રયાણું તેનું વાસ્તવિક રીતે અહીંથી શરૂ થઈ મિક્ષપ્રયાણની જાય છે. ધર્મને ઉપદેશ કરનાર અને શરૂઆત સન્માર્ગ બતાવનાર વિશુદ્ધ ગીનું વૈયા વૃત્ય આ પ્રાણી ઉપકારબુદ્ધિથી સારી રીતે કરે છે અને તેમાં પણ તે દ્રવ્ય આચાર્ય અથવા દ્રવ્ય યોગી તરફ ખેંચાઈ જતા નથી. આ દષ્ટિમાં રહેલા પ્રાણીને ભવ તરફસંસાર તરફ સ્વાભાવિક રીતે જ ઉદ્વેગ આવે છે. એને આ સંસારના ભેગે તથા ધમાધમ પ્રવૃત્તિ તથા ધનોપાર્જન, કીર્તિપાલન અને વ્યવહારકાર્યકરણ સર્વમાં એક પ્રકારની લૂખાશ લાગે, છે, એમાં તે અસ્થિરતા, અકસપણું અને નીરસપણે જોઈ શકે છે અને તેથી જેમ ઘણું કામ કરીને થાકી ગયેલા માણસને
SR No.011523
Book TitleJain Drushtie Yoga
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1974
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy