SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ શકાય તેટલાં સાધને હાલ એકઠાં કર્યા છે. આ પ્રાથમિક વિષય પર જિજ્ઞાસુઓને પ્રેમ થશે તે આયરે આ વિષયના બીજા ભાગમાં વેગનું રહસ્ય ચિતરવા વિચાર છે. મનને અને યોગને કે સંબંધ છે, ચિત્તને નિરાધ ક્યારે કર, કરો કે નહિ, વિશિષ્ટ દશામાં મનને કેમ પ્રવર્તાવવું, વિશિષ્ટ જ્ઞાનમાં મન કેમ પ્રવતે છે, વિગેરે અનેક અગત્યના પ્રશ્નો પર વિચાર કરવા અને મને ગુપ્તિના વિષયને અંગે જે ગેરસમજૂતી ચાલે છે તે દૂર કરવા માટે આયંદે પ્રયત્ન કરવા ઈચ્છા છે. આ વિષયમાં આઠ દષ્ટિની વિચારણાને અંગે કુતર્ક વિષમથહ પર વિચાર બહુ સંક્ષેપમાં કર્યો છે તે પણ સવિસ્તર સમજવા યોગ્ય છે. આ વિષય અગત્યને છે એમ જિજ્ઞાસુઓ ધારે છે એમ જણાતાં તે પર વિશેષ લખવા ઈછા છે. ધ્યાનના વિષય પર અહીં ખાસ વિવેચન કર્યું છે. એ વિષય વેગના મધ્યબિન્દુ જેવું છે. એ પર હજુ પણ ઘણું વિચારણું થઈ શકે તેમ છે. મારે કહેવાનો આશય એ છે કે, જરા વિચારણાથી વાંચવામાં આવે અને રોગ શબ્દનો અર્થ કે તેને ભાવ સમજવા પ્રયત્ન કરવામાં આવે તે જૈન ગ્રંથમાં વેગ ભર્યો છે. એના પર પૃથક્કરણ કરી ગ્ય વિવેચન કરવાની જરૂર છે. એક ઘણુ વિદ્વાન મહાત્મા સાથે વાત કરતાં એમની બાબતમાં તેઓએ પિતાની તદ્દન અજ્ઞતા જણાવી, પરંતુ તેઓનાં વ્યાખ્યાન-જાહેર ભાષણ સાંભળતાં તેઓ બોલતા હતા તે સર્વ ગની જ વાત હતી એમ જણાતાં માલૂમ પડયું કે હજુ લોકે યોગ શબ્દથી જ ડરે છે. વેગમાં આવું કાંઈ ડરવા જેવું નથી તેમ એ વિષય તદન બેદરકારીથી હાથ ધરવા પણ નથી.
SR No.011523
Book TitleJain Drushtie Yoga
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1974
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy