SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન ૨૪૭ ૪ ઈદ્રિયના અર્થો ક્ષણવારમાં મગ્ન થઈ જાય છે. પ્રભુનાં નખ અને રેમ વધતાં નથી, પ્રભુને આહારવિહાર છસ્થ પ્રાણી દેખી શકતા નથી અને પ્રભુને શ્વાસેરસ કમળ જે સુગંધી હોય છે. પ્રભુ જ્યાં જ્યાં વિહાર કરે છે ત્યાં ત્યાં દેવે તેમની આગળ રત્નનિમિત ધર્મવિજ ચલાવે છે, પ્રભુની સાથે જમીન પર નવ કમળ ચાલે છે તેમાંનાં બે બે દરેક પગલે આગળ આવે છે તેના પર પગ મૂકે છે અને કરડેની સંખ્યામાં દે નિરંતર પ્રભુની સેવામાં તેમના અતિ ઉજજવળ ગુણેથી આકર્ષાઈને રહે છે અને પિતાની શક્તિ પ્રમાણે પ્રભુપદની સેવા કરી જન્મને ધન્ય માને છે. આવી અનેક સમૃદ્ધિ તીર્થંકરનામકર્મના ઉદયથી થાય છે પણ પ્રભુ તેમાં અલિપ્ત રહે છે, એમના મન પર ઈંદ્રભૂતિ-ગૌતમ જેવાની એકાંત પ્રીતિ અને રાગદષ્ટિએ અસર કરી નહિ, એમના પર અનેક દેવની પૂજાએ અસર કરી નહિ અને શાળાના ઉપદ્રવે પણ અસર કરી નહિ એ તેઓના ચિત્તની અતિ ઉદાત્ત સ્થિતિ બતાવે છે. આવી રીતે તીર્થકર નામકર્મના ઉદયથી અનેક પ્રકારની ઋદ્ધિ પ્રાપ્ત થાય છે તેનું જે વર્ણન કરવામાં આવે તે પુસ્તક ભરાય. એમના પ્રાતિહાર્યનું વર્ણન, ચેત્રીશ અતિશયની મહત્તા અને વાણના રૂપ-ગુણે અન્યની સરખામણીમાં બહુ ઉત્કૃષ્ટ હેવાથી અત્યંત આનંદ આપે છે. હવે સામાન્ય કેવળીની શુકલધ્યાનને લીધે ઉત્પન્ન થયેલ જ્ઞાન થયા પછી થતી સ્થિતિ, યોગને અંગે થતી ખાસ વર્તના અને કર્મક્ષયને અને થતી અતિ વિશુદ્ધ અવસ્થા આપણે વિચારીએ. સામાન્ય કેવળીઓ પણ આયુષ્યકર્મ બાકી હોય તે
SR No.011523
Book TitleJain Drushtie Yoga
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1974
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy