SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ : ર૪ર : જૈન દષ્ટિએ એમ એટલે એક શબ્દને બરાબર વિચાર કરીને બીજા શબ્દને વિચાર કરે એ વ્યંજનસંક્રમણ કહેવાય છે. મન, વચન ને કાયાના પેગો પૈકી એક પેગ પર શેડે વખત સ્થિર રહી, બીજા તરફ ત્યારપછી સંક્રમણ કરવું એનું નામ લેગસંક્રમણ કહેવાય છે. એવી રીતે આ પ્રથમ શુકલધ્યાનના વિભાગમાં એક પદાર્થથી બીજા પદાર્થ પર, એક શદથી બીજા શબ્દ પર અને એક પેગમાંથી બીજા રોગમાં સંક્રમણ થયા કરે છે. અત્યાર સુધી ધર્મધ્યાનમાં બહારની વસ્તુનું અવલંબન હતું તે દૂર થઈને હવે પદાર્થનું જ્ઞાન દ્વારા અવલંબન થાય છે, વિશુદ્ધ અવેલેકનાપૂર્વક તેની આલોચના થાય છે અને છેડા વખત સુધી તેમાં સ્થિરતા થાય છે, તેવી જ રીતે યુગમાંના ત્રણે વેગ પર વારાફરતી સંકમણ થયા કરે છે. એક વસ્તુને નિત્ય પર્યાય લીધે તે તે પર કેટલેક વખત સ્થિરપણે ધ્યાન થાય છે, વળી બીજા પર્યાય પર વિચારણા થાય છે. એ પ્રમાણે વિચારપરંપરા ચાલ્યા કરે છે. આવી રીતે અમુક દ્રવ્યના પર્યાય પર એક પછી એક વિચાર ચાલ્યા કરે છે. ચૌદ પૂર્વધર અને દ્વાદશાંગીના અભ્યાસી આ ધ્યાનમાં સ્થિર થઈ શકે છે. આટલા ઉપરથી આ ધ્યાન ગુણસ્થાનશ્રેણિએ ચઢવા જતાં પ્રાપ્તવ્ય છે એમ સમજાય છે. વાત એમ છે કે શ્રુતસમુદ્રમાંથી કોઈ વખત એક પદાર્થ અથવા તેને પર્યાય લઈ તેના પર એક પછી એક પયયદષ્ટિએ ધ્યાન કરે છે. આ ધ્યાનને સવિતર્ક અને સવિચાર કહેવાનું કારણ એ છે કે-અહીં એક પછી એક વિતર્કો શ્રોપદેશનાં અવલંબને હોય છે, એક પયયથી બીજા પર્યાય પર વિચારણા ચાલ્યા કરે છે અને પર્યાય શબ્દસંક્રમણ
SR No.011523
Book TitleJain Drushtie Yoga
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1974
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy