SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૨ : જૈન દૃષ્ટિએ યાગ વખતના નાશ થાય છે. શિવ, શાંત, વીતતૃષ્ણુ, વિશ્વરૂપી, પરમેશ્વર, સનાતન, ચેાગીનાથ, સિદ્ધ, વીતરાગ ભગવાનને અતિ ઉદ્દાત આદર્શ રૂપસ્થ ધ્યેયની પરાકાષ્ઠા બતાવે છે અને એથી વિશિષ્ટતર ભાવના અત્યાર સુધી અન્યત્ર કોઇ પણ સ્થળે વાંચવામાં, જોવામાં કે સાંભળવામાં આવી નથી. આવી વિશિષ્ટ ભાવનાને હૃદયમાં રાખી, હૃદયચક્ષુથી તેનું દર્શન કરી, તેમાં આત્મલય કરવા ઉદ્યત થવું એ આ ધ્યાનની ઉત્કૃષ્ટ સ્થિતિ બતાવે છે. એ રૂપસ્થ ધ્યેયના અવલખનથી આત્માને પ્રગત કરી અનેક મહાત્માએ ચેગારૂઢ થઈ સાધ્યસ્થાન પામી ગયા છે. આ સર્વજ્ઞ મહાત્માને બતાવનાર શાંત, કાંત, મનેાહારી શ્રી જિનદેવની યોગમુદ્રાને ખતાવનાર, પ્રશમરસનિમગ્ન શ્રી વીતરાગ ભગવાનની પ્રતિમાને નિમળ મનથી ધ્યાવવી, નિર્નિર્મષ દૃષ્ટિએ તેની સામુ જોઇ રહેવુ એ પણ રૂપસ્થ ધ્યેયના વિષય છે. તેમાં પણ પેાતાને જે રૂપ અતિ આકષ ક લાગ્યું હોય એવી તી સ્થાનની શાંત મૂર્તિ બહુ આહ્લાદજનક રીતે આ ધ્યાનના ધ્યેય વિષય પૂરા પાડે છે. આ ધ્યાન કરવામાં બહુ આનંદ આવે છે, કારણ કે પ્રભુની અતિશય વિગેરે લક્ષ્મી સાદી દૃષ્ટિને બહુ ખે'ચાણકારક લાગે છે; જો કે વીતરાગ ભગવાનને તેના ઉપર રાગ હાતા જ નથી અને ધ્યાતાએ છેવટે તે તે જ સ્થાન અને તે જ ભાવ પ્રાપ્ત કરવાના છે. આવી રીતે રૂપસ્થ ધ્યાનમાં તીર્થકર મહારાજનું ધ્યાન કરવાની વાત બતાવી તે પાતાની યાગ્યતા પ્રમાણે ભાવનાથી તે જરૂર આદરવી. શાંત તીથ સ્થાનમાં જ્યાં ગડખડાટ ન હેાય તેવે વખતે એકાંતે બેસી પ્રભુની દૃષ્ટિ સામુ એક બે મિનીટ જોવુ, આંખો બંધ
SR No.011523
Book TitleJain Drushtie Yoga
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1974
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy