SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન : ૧૯૯૪ ચેતનજી અતિ ઉદાત્ત અવસ્થા અનુભવે છે. પરમાત્મપદચિંતવનના કાર્યમાં ચિત્તની સ્થિરતા, એકાગ્રતા અને અચલ સ્થિતિ ખાસ પ્રાપ્તવ્ય છે અને તે પણ ધ્યાનધારાએ વધતાં વધતાં સવિશેષપણે પ્રાપ્ત થતી જાય છે. પરમાત્મપદનું ચિંતવન, પરમાત્મગુણેની વિચારણા, પરમાત્મ પદસ્થિતિની મહત્તા વિગેરેમાં એવું મહત્વ રહેલું છે કે–એમાં આગળ વધતા બહુ આનંદ આવે અને પિતાને માટે ખાસ કમ પણ જરૂર મળી આવે. રાજયમાર્ગ જેવા ધર્મ શુકલધ્યાનના ભેદોની આપણે હવે વિચારણા કરી જઈએ. અહીં એટલું ખાસ જણાવવું પ્રાસંગિક છે કે-આ ભેદ બહુ વિચારવા એગ્ય છે, આ ઉત્કૃષ્ટ ધ્યાનની ભાવના આપણે સારી રીતે કરી શકીએ તેમ છીએ, તેમાં રિથરતા થવા માટે કેટલાક મહાશયના કહેવા પ્રમાણે દઢ શરીરની જરૂર છે અને શરીરસ્વાશ્ય અને શરીરનું બંધારણ બહુ સારું હોય તેમ ધ્યાનમાં સારી રીતે પ્રગતિ થઈ શકે છે. ધર્મયાનના ચાર વિભાગ પાડવામાં આવ્યા છે. આગાવિચય, અપાયરિચય, વિપાકચિય અને સંસ્થાનવિચય. આ કમ બતાવવાનું કારણ એ છે કેધર્મધ્યાનના ભેદે પ્રાણ પ્રથમ સાલંબન ધ્યાન કરી શકે છે અને તેમાં જ્યારે ચિત્તની સ્થિરતા થાય ત્યારે તે નિરાલંબ ધ્યાન કરી શકે છે. અનાદિ વિભ્રમથી, મેહથી, અનભ્યાસથી અને અસંગ્રહથી પ્રાણી આત્મતત્વ જાણતે હેય તે પણ ખલના પામી જાય છે અને આત્મતત્વચિંતવનમાં પ્રગતિ કરી શકતા નથી અને તે પ્રાણ અજ્ઞાનના અથવા મિથ્યાત્વના જેથી કદાચ આત્મતત્વનું ચિંતવન કરવાને વિચાર કરે તે
SR No.011523
Book TitleJain Drushtie Yoga
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1974
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy