SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન : ૧૮ : વૈધ્યાનમાં અસત્ય વાજાળથી સામા પ્રાણીને છેતરવા માટે જે અનેક ઘટનાઓ કરવામાં આવે છે તે સર્વને સમાવેશ થાય છે. અા અથવા મૂઢ પ્રાણીઓને શાબ્દિક યુક્તિમાં ફસાવી હેરાન કરવા, તેઓને વચનકાળથી વંચિત કરી ત્રાસ આપો અથવા છેતરવા અને તેમ કરવા માટે વચનની અનેક યુક્તિઓ ગોઠવવી એ સર્વ આ પ્રકારમાં આવે છે. કુતર્ક કરી સત્યધર્મ પર આસ્થા ન થાય તેવા વિચારે ફેલાવવા, સત્ય વાત જે માગે સિદ્ધ થતી હોય તે છુપાવવી અને અસત્ય કહ૫નાજાળને વિસ્તારી પ્રાકૃત પ્રાણુઓને ધર્મથી પરાક્ષુખ રાખવા, પિતાનું પૂજ્યપણુ વધારવા ધર્મના રસ્તાને વાડા તરીકે જણાવી પિતાની માન્યતા માટે વાડ ઊભું કરી સંસારી છતાં ત્યાગીપણની છબીઓ પડાવવી, પૂજાવવું, મનાવવું, તેવી ઈરછા રાખવી, તેને અનુકૂળ પ્રયત્ન કરવા એને પણ અત્ર સમાવેશ થઈ જાય છે. પિતાને કેઈ અધિકારી સાથે સંબંધ હોય તેને લાભ લઈ અગર અસત્ય વાતેથી તેના કાન ભરી નિષ પ્રાણીઓને વાગૂજાળથી ફસાવી હેરાન કરવા, તેઓને હલકા પાડવા અથવા તેઓને ઘાત કરાવો એને પણ અત્ર સમાવેશ થાય છે. અનેક અસત્યની હાર જ્યારે ગોઠવવામાં આવે ત્યારે પિતાની આવી છેટાં પાટિયાં ગોઠવવાની બુદ્ધિ માટે મનમાં પ્રમોટ પામ અને પિતાનાં તે ચાતુર્યનાં વખાણ કરવાં એ વ્યવહાર પણ અનિષ્ટ અને અનેક દુર્ગતિમાં ભમાડનાર મૃષાનંદી રૌદ્રધ્યાનને પ્રકાર છે. પારકી વસ્તુ ઉપાડી લેવામાં ચતુરાઈ ચેરી કરવાની રીતને ઉપદેશ અને તેવી વાતેના વિચારને ત્રીજો ચેનદી પૈદ્રધ્યાનને પ્રકાર કહેવામાં આવ્યા છે. ચોરી કરવા
SR No.011523
Book TitleJain Drushtie Yoga
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1974
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy