SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન : ૧૮ : ચિંતા-મરણને ભય અને વ્યાધિ ન થયા હોય તેવા સારા વખતમાં કદાચિત્ મને શ્વાસ, ભગંદર, અતિસાર, મહામારી વિગેરે કઈ વ્યાધિ થઈ જાય એવા પ્રકારની ચિંતા તેને રેગચિતા નામનું તૃતીય આધ્યાન કહેવામાં આવે છે. આ આધ્યાન અમુક પ્રસંગે જ થાય છે પણ જેટલે વખત તે રહે છે તેટલે વખત તેનું જેર પણ ઘણું સખત હોય છે અને તે કોઈ પણ રીતે મનને શુભ ભાવના તરફ વળવા દેતું નથી. ભવિષ્યમાં મારું શું થશે એવી ચિંતાને અશાચ નામનું ચતુર્થ આર્તધ્યાન કહેવામાં આવે છે. મને મોટું રાજ્ય કેવી રીતે પ્રાપ્ત થાય, મને અમુક અધિકાર કેવી રીતે પ્રાપ્ત થાય, મને અમુક દ્રવ્યની પ્રાપ્તિ કેવી રીતે થાય, મને અમુક વસ્તુઓની પ્રાપ્તિ કેવી રીતે થાય—એવા વિચાર, એવા વિચારોને અંગે તે તે વસ્તુ મેળવવાના પ્રયત્ન, પ્રયત્નને અંગે સાધને જવાની આવશ્યકતા, ખલનાના ભયે, તત્કસંગે પડતી ગૂંચે અને આવી આવી અનેક પ્રકારની વ્યવહારિક સ્થળ પ્રવૃત્તિ અથશેચને અંગે થાય છે. ઘણાખરા મનુષ્ય ચમક્ય તમવિષ્યતિ એ વાત ભૂલી જઈ ભવિષ્યમાં શું થશે તેને માટે ખેટી કલ્પના કરી મેટી આપત્તિઓ કલ્પી લે છે અને તેના વિચારથી કષ્ટ પામે છે, જરા કષ્ટ થતાં અનિષ્ટ કલ્પ છે, સાધારણ બાબતમાં પણ મનમાં શંકા લાવી મુંઝાય છે અને આવી રીતે ભવિષ્યની આશંકાથી ખેદ પામી વિચારપરંપરામાં મનને ગોઠવે છે, પિતાના ઈરિછતની પ્રાપ્તિ માટે જે સગે તેણે ધારેલા હોય છે તે ફરી જતાં વિશેષ ખેદ પામે છે. આ પ્રમાણે એક પ્રાણી ભવિષ્યના નકામા વિચારો કરી
SR No.011523
Book TitleJain Drushtie Yoga
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1974
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy