SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાણાયામ ? ૧૭૩ ૪ સાયપ્રાપ્તિ માટે એગપ્રક્રિયા આદરી હોય છે તે અહીં અટકી જાય છે. વેગથકારે આ નાડજ્ઞાનમાં શું શું બતાવે છે તેને સહજ વિચાર કરી પ્રાણાયામના સામાન્ય વિષયને અંગે જેના શાસ્ત્રકારને શું અભિપ્રાય છે તે આપણે હવે ઈ જઈએ. ચંદ્ર, સૂર્ય અને મધ્યમા અથવા સુષુષ્ણુ એ ત્રણ નાડી કોને કહેવી તે આપણે ઉપર જોઈ ગયા. ચંદ્ર નાડી વામ બાજુએ ચાલનારી અભીષ્ટને આપનારી નાડીવિજ્ઞાન ગણાય છે. સૂર્ય નાડી દક્ષિણ બાજુએ ચાલનારી અનિષ્ટનું સૂચવન કરનારી છે અને સુષણ નાડી મધ્યમાં ચાલનારી નિર્વાણ ફળને આપનાર છે. ઉત્તમ કાર્યોમાં ચંદ્ર નાડી ઉપયોગી છે અને દીસ કાર્યોમાં સૂર્ય નાડી ઉપયોગી છે. અમુક તિથિએ ચંદ્ર નાડીને ઉદય શુભ ગણાય છે અને અમુકમાં સૂર્યને ઉદય શુભ ગણવામાં આવ્યું છે. અમુક રીતે કેટલાક દિવસ સુધી ચાલે છે તેથી મૃત્યુને કાળ નક્કી કરી શકાય છે. આ ઉપરાંત નાડીથી કાળજ્ઞાન પણ થઈ શકે છે. શરીરમાં વ્યાધિ વિગેરે હોય તે કેટલીક વાર ગોટાળો પણ થઈ જાય છે, તેથી બાહ્ય કાળનું લક્ષણ પણ બતાવવામાં આવેલ હોય છે. નેત્રમાં અમુક વિકાર થાય, મસ્તકમાં અમુક દેખાવ જણાય અને કાનમાં અમુક અવાજ સંભળાય તેનાથી પણ કાળજ્ઞાનને નિર્ણય થઈ શકે છે. આ સિવાય કાળજ્ઞાનના બીજા અનેક પ્રકારે છે અને તે વરદય વિગેરે ગ્રંથમાં બહુ વિસ્તારથી આપવામાં આવ્યા છે. દાખલા તરીકે અમુક પક્ષીના દર્શનથી અથવા અમુક રીતે તેના અવાજથી કાળજ્ઞાનને નિર્ણય થઈ શકે છે, અમુક આસને પવિત્ર થઈને
SR No.011523
Book TitleJain Drushtie Yoga
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1974
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy