SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૬૬ : જૈન દૃષ્ટિએ યાગ દરાજ મળ્યા કરે બહુ જરૂર છે અને તેવા સારા વખતમાં તેને માટે કાંઈ નિયમ બાંધી દીધા હાય તા તેના લાભ છે અને ચિત્ત અસ્થિર અવસ્થામાં જ્યાં ત્યાં ભટકતુ અટકી જાય છે. એક વખત તે અંકુશમાં આવી જાય તે પછી તે માગ પર ચાલે છે, પણ જેમ નવીન અશ્વને ગાડીમાં જોડવા પહેલાં તેને પળેાટવા પડે છે, તેમ પ્રથમ સન્માર્ગ પર જોડતાં મનને નિયમમાં રાખવા માટે પળેાટવુ પડે છે. માર્ગ પર આવી ગયા પછી થૈયસંપાદનમાં નિયમની બહુ જરૂર રહેતી નથી, પશુ તે પહેલાં મનને તદ્દન વશ કરવું જોઈએ અને મનને વશ પડવું ન જોઇએ. મનને વશ કરવા માટે, તેના પર આધિપત્ય મેળવવા માટે અને તેના પર અંકુશ લાવવા માટે નિયમની— પચ્ચખાણુની બહુ જરૂર છે. યાગના આ દ્વિતીય અગની જરૂરીઆત અને તેની વિધિ માટે જૈન ચેાગીશ્વરાએ ઘણુ લખ્યું છે. સામાન્ય ખાધ માટે શ્રી દેવે દ્રસૂરિવિરચિત પચ્ચખાણુભાષ્ય છપાયેલ છે તે વિચારી જવું.) આવી રીતે ચેાગના દ્વિતીય અંગ નિયમ ઉપર વિચારણા થઈ. ૩. આસન ચેાગનું તૃતીય અંગ‘ આસન ’ છે. તેને અંગે આસન અને સ્થાનની અનેક પ્રકારની પ્રક્રિયા ચેાગળ થકારાએ બતાવી છે. શ્રી હેમચ'દ્રાચાય ચેાગશાસ્ત્રમાં પર્યં ́કાસન, વીરાસન, વજ્રાસન, અજ્રાસન, ભદ્રાસન, દંડાસન, ઉત્કટિકાસન, ગાઢહિકાસન તથા કાયાત્સગ મુદ્રાનું લક્ષણ મતાવે છે. એનું સ્પષ્ટ સ્વરૂપ તે ચેગપ્રક્રિયા જાણનાર પાસેથી જ જાણી શકાય તેમ છે, કારણ કે એ અનુભવના વિષય છે. જ્ઞાનાણુ વકાર ભદ્રાસનને
SR No.011523
Book TitleJain Drushtie Yoga
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1974
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy