SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ નિયમ • ૧૬૩ : ખીજા શિક્ષાવ્રતમાં દેશાવગાશિક મતના વિષય છે. ગુણુવ્રતને અંગે દિશાઓનુ પરિમાણુ કર્યું હોય તેનેા પણ અહીં અમુક દિવસ અથવા રાત્રિની કે અન્ય બીજા કામની અપેક્ષાએ વિચાર કરી તેમાં સ ંક્ષેપ કરવામાં આવે છે. મતલબ આ વ્રતથી વૃત્તિ પર વિશેષ અંકુશ આવે છે અને તેની મર્યાદા અ`ધાય છે. ત્રીજા પૌષધ વ્રતમાં સામાયિક વ્રતની પેઠે આખા દિવસ માટે સાવવસ્થાની તુલના કરાય છે, તેના અનુભવ કરાય છે અને તે માટે વિચારણા થાય છે. દિવસ માત્ર કે રાતદ્વિવસ સાવદ્ય ચેગથી વિરમી, બ્રહ્મચર્ય આદરી, સ્નાનાદિના ત્યાગ કરી, ભાવાન આદરી આત્મધ્યાનમાં અથવા અધિકાર પ્રમાણે ધાર્મિક ક્રિયામાં આદર કરવા તેને પૌષધ કહેવામાં આવે છે. સામાયિક માટે જેટલું કહેવામાં આવ્યું છે તે સ અહીં સારી રીતે વિશેષે કરીને લાગુ પડે છે. એક દિવસ ખાદ્ય વસ્તુઓના ત્યાગ કરી, ઉપવાસ કે એકાસણું કરી જ્ઞાનયાનમાં મમ્રતા કરવાથી કેવા આનંદ થાય છે તે ખાસ અનુભવવા ચાગ્ય છે. એમાં અન્ય વસ્તુઓના ત્યાગ કરવાની એવી ચેગ્ય ઘટના કરવામાં આવી છે કે એના ખરાબર આદરથી સંસારમાં વતતા પ્રાણી સર્વથાત્યાગ કરવાની દશાનુ સુસ્પષ્ટ દર્શીન કરી શકે અને જ્યારે વિશેષ વીયસ્ફુરણા થાય ત્યારે તેવી સ્થિતિ આદરવાનુ` લક્ષ્યમાં રાખી શકે. જે પૌષધના કાળ વિશેષપણે ધ્યાનમાં ગાળી શકે તેટલી હદ સુધી પહોંચી શક્યા ન હોય તેમને માટે ભાવાન કરવા દેવવદનાદિન વિધિ બતાવવામાં આવ્યા છે તેથી પ્રવ્રુત્તિની દિશા બદલાય છે, જ્ઞાનધ્યાનથી આત્મવિચારણા થાય છે અને એવી રીતે ઉદ્ઘાત્ત અનેàા આત્મા પેાતાના વાસ્તવિક માગ જોઈ આદરી શકે છે.
SR No.011523
Book TitleJain Drushtie Yoga
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1974
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy