SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ નિયમ * ૧૬૧ : સમજણુ રાખવાથી અથવા અવલાકના કરવાથી આવી ખામતમાં અહુ સાવચેતી રાખી શકાય છે. આ ત્રણે ગુણુવ્રતાના પાષણ ઉપર ધ્યાન રાખવાથી અનેક ગુણ્ણા સ્વતઃ પ્રાપ્ત થાય છે, યાગમાં ઉત્ક્રન્તિ થતી જાય છે અને પ્રથમનાં પાંચ અણુવ્રતે વિશેષપણે પાળી શકાય છે. ત્યાર બાદ ક્રમપ્રાપ્ત ચાર શિક્ષાવ્રત પર ટૂંકામાં દષ્ટિક્ષેપ કરી જઈએ. શિક્ષાત્રતા શિખામણરૂપે ગોઠવાયલાં છે અને તેઓ સાધ્ય તરફ ધ્યાન ખેંચવાની શિખામણ આપતાં હોય તેવાં છે, પરિણતિની દૃઢતા માટે વારવાર કરવામાં આવતા હાવાથી તે શિક્ષાવ્રત કહેવાય છે. એ ચાર શિક્ષાવ્રતમાં પ્રથમ સામાયિક વ્રત આવે છે. સમતાના જેમાં લાભ થાય, સાધ્ય અવસ્થા પ્રાપ્ત કરવાની સ્થિરતા જેમાં મળે અને થાડા વખત સુધી આત્ત રૌદ્ર ધ્યાન રહિત થઈ આત્મા અપૂર્વ આનંદના અનુભવ કરે તેને સામાયિક કહેવામાં આવે છે. અહીં સુજ્ઞ પ્રાણી એ ઘડી અથવા અન્ય મર્યાદિત વખત સુધી સ્થિર ચિત્તે એક જગ્યા પર બેસી જાય, આત્મવિચારણા કે જ્ઞાનધ્યાન કરે છે અને તેટલા વખત સુધી કોઈ પણું આરંભનાં કાર્યાંના ત્યાગ કરી સાધ્વ વસ્થા અનુભવે છે. આવી રીતે સામાયિક કરવાના વિધિ બતા વવામાં આવ્યે છે. બહારની ખટપટને ત્યાગ કરતાં અને ચિત્તની શાંતિ રાખતાં સામાયિકમાં કૈવી અપૂર્વ શાંતિ પ્રત્યક્ષ થાય છે તે અનુભવથી લક્ષ્યમાં લેવા ચેગ્ય છે. આત્ત, રૌદ્ર ધ્યાન તજીને અને સાવદ્ય કર્મના ત્યાગ કરીને મુહૂર્ત સુધી સમતા રાખવી તેનું નામ સામાયિક છે, એમ શ્રી હેમચંદ્રાચાય
SR No.011523
Book TitleJain Drushtie Yoga
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1974
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy