SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ આ : ૧૫૮ : જૈન દષ્ટિએ યોગ થાય છે. ત્રીજા સવાણિજયમાં માખણ, ચરબી, મધ, જેવી વસ્તુઓ જેમાં અનેક જીવો સતઃ ઉત્પન્ન થાય છે તેને સમાન વેશ થાય છે. મનુષ્યને તથા તિર્યંચને વેચવા તે કેશવાણિજ્ય કહેવાય છે. જીવતા પ્રાણીને વ્યાપાર કેશવાણિજ્યમાં આવે છે અને તેઓનાં નખ વિગેરે અંગેને વ્યાપાર દંતવાણિજ્યમાં આવે છે. વિષવાણિજયમાં વછનાગ, તરવાર, હડતાલ વિગેરે વસતુઓને વ્યાપાર આવે છે. આ પાંચ પ્રકારના વાણિજ્યમાં વસ્તુની ઉત્પત્તિ અને સ્થિતિમાં અને કેટલાકના ઉપયોગમાં અનેક જીની સીધી અથવા આડકતરી રીતે હાનિ થતી હોવાથી તેને વ્યાપાર ત્યામ ગણાય છે. આ પાંચ વાણિજ્ય થયા. હવે પાંચ સામાન્ય કર્મોની વાત કરતાં પ્રથમ યંત્રપિલણકર્મ આવે છે. તલ, સર્ષવ પીલવાના સંચા, શેલડી પીલવાના ચીચુડા અને બીજા અનેક પ્રકારના સંચાઓ જેમાં જીવવધનું કારણ મુખ્ય અને છે તે તથા વર્તમાન મિલેનો આ પ્રથમ વિભાગમાં સામાવેશ થાય છે. જનાવરનાં નાક વિંધવા, ઘોડાને ખસી કરવી, બેલને આંકવા, ઊંટની પીઠ ગાળવી તથા જનાવરોનાં અંગોને છેદ કર-ઈત્યાદિ કાર્યને નિલંછનકર્મ કહેવામાં આવે છે. પિટને પાંજરે નાખવા, કૂતશ બિલાડાને પાળવા, કુકડાને રાખવા, એને અસતીષણકર્મ કહેવામાં આવે છે. જંગલ કે થર્વતને સળગાવવા, ખેતરમાં દાહ ભૂક, તેવા અતિ હિંસ્ય કાર્યમાં પુરૂય માનીને વર્તવું એ દવદાનકર્મ કહેવાય છે અને તળાવ, કૂવા વિગેરે જળાશને સુકાવવાં અથવા તેનું પાણી અન્યત્ર ખેંચી લેવું તે સરોષણકર્મ કહેવાય છે. આ પાંચ સામાન્ય ક્રમે છે. એવી રીતે પાંચ કર્મ, પાંચ વાણિજ્ય અને
SR No.011523
Book TitleJain Drushtie Yoga
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1974
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy