SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૫૬ : જૈન દષ્ટિએ યોગ જીવાળા પદાર્થો ખાવાથી પણ એટલી જ હાનિ થાય છે. શરીરને ટકાવવા માટે જગતમાં અનેક પદાર્થો છે પણ આવી તુચ્છ વસ્તુઓ ખાવાથી આત્માની બહુ મલિનતા થાય છે અને અહિંસાના પાયા કાચા પડી જાય છે. રાત્રિભેજન કરવાથી શરીરને બહુ નુકશાન છે અને વેધક નિયમથી પણ નુકશાન સિદ્ધ હોવાથી તે ત્યાજ્ય છે. આવી રીતે ભેગઉપગની વસ્તુઓ માટે વિચાર કરી માંસ, મઘ, અનંતકાય, અભક્ષ્ય પદાર્થો આદિને ખેરાક તરીકે ત્યાગ કરે, રાત્રિભેજનને ત્યાગ કરે અને આવા પ્રકારના ત્યાગથી પોતાની જાતને કબજામાં લાવવી, તેના પર અંકુશ લાવે અને પીગલિક ત્યાગભાવમાં વિકાસ કરી તેને સર્વથા ત્યાગ કરવા યોગ્ય ચેતનને બનાવવાની શરૂઆત કરવી. આવા ભેગોપભેગની વસ્તુઓના નિયમ ઉપરાંત વ્યાપારને અંગે પણ કેટલીક વિચારણા કરવાની જરૂર આ ગુણવ્રતને અંગે બતાવી છે, તેને આશય એ છે કે-જ્યાં સુધી બની શકે ત્યાં સુધી જેમાં મહાઆરંભ થાય, ઘણું ઓની હિંસા થાય તેવે વેપાર કરે નહિ. આ પ્રાણીને ગમે તેટલું મળે છે, પણ ધનથી તૃપ્તિ થવાની નથી અને તેને લાગ મળે તે તે ગમે તેવા અધમ ધંધાવડે પણ ધન એકઠું કરવા લાગી જાય તેવે છે, પરંતુ તેણે અહિંસાને મુદ્દો ધ્યાનમાં રાખી કમદાનના વેપાર ન કરવા જોઈએ. કમદાનના વેપારે તેવા પ્રકારના છે કે એનાથી બહુ મેટે આરંભ થઈ પ્રાણીને કર્મોની રાશિથી દાબી દે છે–મતલબ વિપુલ સંખ્યામાં કર્મે ગ્રહણ કરી લે તેવી સ્થિતિ માં તે પ્રાણીને મૂકે છે. ત્યાં પ્રથમ કર્મ પાંચ છે જેને ત્યાગ કરવા ફરમાન બતાવ્યું છેઃ અંગારકર્મ એટલે કોલસાને,
SR No.011523
Book TitleJain Drushtie Yoga
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1974
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy