SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દષ્ટિએ યોગ વ્યાધિ વિગેરે થાય છે અને અહિંસાથી દીર્ઘ આયુષ્ય, રૂપ, આરોગ્ય વિગેરે પ્રાપ્ત થાય છે. સત્ય-આ દ્વિતીય યમ છે. એને અંગે કઈ પણ પ્રકારની ક્રોધાદિક તુરછ વૃત્તિને આધીન ન થતાં અસત્ય ન બોલવું એ સવવિરતિપદસ્થિત સાધુઓ માટે અને પાંચ મોટાં જૂઠાને તે સર્વથા ત્યાગ કરે, એ દેશવિરતિપદસ્થિત અન્ય મનુષ્ય માટે જરૂરતું છે. આ પાંચ મેટાં અસત્ય આ પ્રમાણેઃ ૧. કન્યાના વેવિશાળાદિ સંબંધને અંગે કન્યા સંબંધી, ૨. ભૂમિ સંબંધી, ૩. જનાવર સંબંધી, ૪. અસત્ય બેલવું, થાપણુ(ડીઝીટ)ને એળવવી અને ૫. સોગન ઉપર બેટી સાક્ષી આપવી. આ પાંચ મહાઅસત્યને સર્વથા ત્યાગ કર એ ચોગાચાર્યોને આદેશ છે. અસત્ય વચનથી સામે માણસ પેટે રસ્તે દોરાય છે અને તેને સત્ય હકીકત જણાતાં એટલું બધું દુઃખ લાગે છે કે અસત્ય વચને ચાર કરે એ એક પ્રકારે જોતાં એના ભાવપ્રાણને હણવા જેવું છે. આ પ્રમાણે હેવાથી સુજ્ઞ પ્રાણીએ હિત, મિત, પ્રિય, તથ્ય અને પશ્ય વચન બોલવું યુક્ત છે. સત્ય બોલવાથી મનમાં પણ એક એવા પ્રકારની શાંતિ થાય છે કે તેનું વર્ણન કરવું મુશ્કેલ છે. પિતાને સત્ય બલવાથી કદાચ જરા ઘસારે સહન કરે પડે તે પણ સત્યને ત્યાગ કરવો ઉચિત નથી, કારણ કે એવા ઘસારાથી પણ મનમાં સ્વાત્મસંતોષ થાય છે અને એક ફરજ બજાવી એવું લાગે છે. અસત્યનાં ફળ તરીકે મૂંગાપણું, ગળાપણું વિગેરે મુખના વ્યાધિઓ થાય છે અને સત્ય બોલનારને કેટલીક અમાનુષી પ્રકૃતિએ પણ અસર કરી શકતી નથી. અસ્તેય-ચોરીને ત્યાગ. જે વસ્તુ પિતાની ન હોય તેને
SR No.011523
Book TitleJain Drushtie Yoga
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1974
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy