SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૧૪૦ : જૈન દષ્ટિએ યોગ બહુ ભાર મૂકીને કહેવાનું કારણ એ છે કે આગળ ઉન્નતિકમાં જે ભકૅગ થવાની વાત કહી છે તેની શરૂઆત આ મેક્ષ અદ્વેષથી થાય છે. જે મક્ષ અદ્વેષ હોય તે જ સંસાર પર નિર્વેદ થાય છે અને પરંપરાએ તે મહાવૈરાગ્યનું કારણ બને છે. આવી રીતે આપણે ગપ્રાપ્તિના ઉપાયનું ચિંતવન કરી ગયા. અમૃતઅનુષ્ઠાન સ્વરૂપ જે જે અનુષ્કાને મોક્ષપ્રાપ્તિ માટે કરવામાં આવે તે સર્વમાં ખાસ કરીને તત્વધની બહુ જરૂરીઆત છે તે ગસિદ્ધિના ઉપાયને અંગે જાણી લેવું જરૂરનું છે. શાસ્ત્રકારતેટલા માટે અનુષ્કાનેના પાંચ મેટા વિભાગ પાડ્યા છે અને તેમ કરીને બતાવી આપ્યું છે કે-જેમ એક અબે (કેરી) હોય તે રેગી માણસ ખાય છે તેથી તેના વ્યાધિની વૃદ્ધિ થાય છે અને બીજા માણસને તે બળની વૃદ્ધિ કરે છે તેવી રીતે વ્યક્તિ પર એક સરખાં જ અનુષ્ઠાને જુદા જુદા પ્રકારનાં ફળ આપે છે. ફળાવાપ્તિને આધાર આંતર આશય અને તરવાવબોધ પર રહે હવાથી અમુક અનુષ્ઠાન કેવું છે તેને બાહ્ય દષ્ટિએ વિચાર કરવાનું નથી. આ ભવમાં અમુક લબ્ધિની અથવા શક્તિની પ્રાપ્તિ થાય અથવા કીર્તિ થાય એવી કોઈ અપેક્ષાથી અનુષ્ઠાન કરવા તેને વિષ અનુષ્ઠાન કહેવામાં આવે છે. વિષ ખાવાથી તરત જ પ્રાણુને નાશ કરે છે એ જાણીતી વાત છે. વિશ્વની પેઠે આવું અનુષ્ઠાન ત્યાજ્ય છે. ગમે તેવી ક્રિયા આવા ઐહિક સુખની ઈચ્છાથી કરવામાં આવે તેથી લાભ થતું નથી. તેવી જ રીતે પરલકમાં દેવ, દેવેન્દ્ર, વિદ્યાધર, ચક્રવર્તી પણાનાં સુખની પ્રાપ્તિની ઈરછાથી જે અનુષ્ઠાન કરવામાં આવે એટલે
SR No.011523
Book TitleJain Drushtie Yoga
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1974
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy