SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૩૬ : જેન દષ્ટિએ યોગ છે. દાનના સંબંધમાં કેગના પૂર્વ ઉપાય તરીકે જના બતાવવાનું કારણ એમ જણાય છે કે એથી ત્યાગધર્મની શરૂઆત થાય છે. પિતાની વરતુ પરને આપી દેવાને માર્ચ સુલભ નથી તેથી તેને જેને અભ્યાસ પડે તે વસ્તુને ત્યાગ કેમ કરે તે સારી રીતે સમજે છે અને તેને પરિણામે ગભૂમિકામાં જે પૌગલિક સર્વ વસ્તુઓને અને સંબંધોને ત્યાગ કરે પડે છે તેની અત્ર શરૂઆત થાય છે. આને સમાવેશ સદાચાર જે પર હવે વિવેચન કરીએ છીએ તેના પેટમાં થાય છે. સદાચાર–નીતિના ઉત્તમ નિયમને અનુસરવાનું નામ સદાચાર કહેવામાં આવે છે. માર્ગદર્શક તરીકે એ અતિ ઉપયોગી છે. અનેક ગુણને અત્ર સમાવેશ થાય છે અને તેને વિસ્તારથી નામનિર્દેશ કરીએ તે પણ વિવેચન ઘણું લાંબુ થઈ જાય. બહુ અગત્યના સદાચાર આપણે વિચારી જઈએ. ગંભીર ધીર પ્રાણ પ્રકૃતિથી જ પારકાનું મન રાખી તેનું કામ કરવા તત્પરતા બતાવે તે સુદાક્ષિણ્ય, અન્યનું દુઃખ દૂર કરવાની ઈચ્છા તે દયાળુતાદુઃખી પ્રાણી ઉપર દયા લાવી તેને ઉદ્ધાર કરવા યત્ન કરે તે દીદ્ધાર અન્ય મનુષ્ય પિતા ઉપર ઉપકાર કરે તેની બૂઝ જાણવી તે કૃતજ્ઞતા; લેકમાં પિતાની અપકીર્તિ થાય તે તે માટે મરણથી પણ વિશેષ ભય લાગે તે જનાપવાદભીરુત્વ, ગુણવાન પ્રાણી ઉપર સ્વાભાવિક રીતે રાગ રાખ તે ગુણીરાગ ઉત્તમ, મધ્યમ કે અધમ મનુષ્યની નિદાને ત્યાગ કરે તે નિદાત્યાગ; ગમે તેવી વિપત્તિ આવે તે તેમાં રાંકડ-દીન ન થઈ જવું, ગભરાઈ ન જવું અને જાણે પિતામાં કોઈ પુરુષાર્થ જ નથી એમ જાણવા ન દેવું એ
SR No.011523
Book TitleJain Drushtie Yoga
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1974
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy