SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ર : * જૈન દષ્ટિએ યોગ અત્ર વક્તવ્યતા એ છે કે પ્રવૃત્તચગીને પ્રથમના બે યમ હોય છે એટલે તેઓને ઈરછાયમ અને પ્રવૃત્તિયમ પ્રાપ્ત થયેલા હોય છે અને બાકીના સ્થિરયમ અને સિદ્ધિયમ પ્રાપ્ત કરવાની તેઓને ઇરછા હોય છે તેમજ પ્રથમ ગાવંચક ભાવ તેઓને પ્રાપ્ત થયેલ હોય છે અને બાકીના બે અવંચક પેગ પ્રાપ્ત કરવાની ઈચ્છા તેઓને હોય છે. આ સંવિપક્ષીના નામથી ઓળખાતા પ્રવૃત્તચકગીઓ બહુધા પંચમ ભૂમિકા ઉપર અથવા તેથી આગળ સ્થિત થયેલા હોય છે. શ્રી હરિભદ્રસૂરિ મહારાજે ગગ્રંથના અધિકારી તરીકે આ કુળગી અને પ્રવૃત્તચગીઓનું સવરૂપ યોગદષ્ટિસમુચ્ચય માં બતાવ્યું છે તે આપણે વિવેચનપૂર્વક વિચારી ગયા. એ અધૂરા ગવાળા પુરુષો પોતાને યોગ પૂરો કરવાની ભાવનાવાળા હોય છે. એ ઉપરંત આપણે યોગીઓના અનેક ભેદ પાડી શકીએ. ગ્રંથિભેદ થયા પછી અવિરતિ દશામાં રહેનાર જીને આવતી કહી શકાય, દેશથી વ્રત લીધેલ યમી શ્રાદ્ધને દેશવિરતિ કહી શકાય, સર્વથા પંચ યમ કરનાર મહાત્માને સર્વવિરતિ કહેવાય છે. એ સર્વવિરતિ વેગીઓમાં પણ જેઓ અપ્રમત્ત દશામાં હોય છે તેમાંના કેટલાક શ્રેણી આરૂઢ અને શ્રેણું અનારૂઢ અવસ્થામાં હોય છે, શ્રેણીગત ગીઓમાં પણ કેટલાક સગી કેવળી અને કેટલાક ઈતર હોય છે અને સર્વોપરી અયોગી છે. આવી રીતે થેગીઓના અનેક ભેદ પાડી શકાય છે તે શાસ્ત્રથી વિચારી લેવા. અત્ર તે વિષય પર વધારે વિવેચન કરવાની આવશ્યકતા નથી. હવે એ ગપ્રાપ્તિના ઉપાય માટે પ્રથમ શું કરવું જોઈએ
SR No.011523
Book TitleJain Drushtie Yoga
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1974
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy