SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ કે ૧૦૦ જેને દષ્ટિએ યોગ કરવું તે બીજે પ્રવૃત્તિયમ કહેવાય છે. ઈચ્છાથી આગળ વધીને અહીં પ્રવૃત્તિ થાય છે. ક્ષપશમ ભાવથી અતિચારની ચિંતારહિતપણે જે યમનું પાલન કરવામાં આવે તેને ત્રીજે સ્થિરથમ કહેવામાં આવે છે. અહીં ઉપશમ ભાવને બદલે ક્ષાપશમિક ભાવ પ્રાપ્ત થાય છે. આ સ્થિરયમવાળે પ્રાણુ જે ગપ્રક્રિયા કરે છે તે પ્રકૃતિથી જ અતિચાર રહિત થાય છે. શુદ્ધ અંતરાત્મામાં ઉત્કૃષ્ટ સિદ્ધિસાધક યુગની અચિંત્ય વિલાસપૂર્વક પ્રક્રિયા કરવામાં આવે તેને એથે સિદ્ધિયમ કહેવામાં આવે છે. આ સિદ્ધિયમમાં એટલી ઉત્કૃષ્ટ યમપ્રાપ્તિ થાય છે કે તેની સાથે જ વૈરત્યાગ થઈ જાય છે. આવી રીતે જે ચાર યમની અહીં વ્યાખ્યા કરી તે પૈકીના પ્રથમના બે યમ-ઈરછાયમ અને પ્રવૃત્તિયમ-જેને હેય અને બાકીના બે યમે પ્રાપ્ત કરવાની અત્યંત ઈરછા હોય તેને પ્રવૃત્તચગી કહેવામાં આવે છે. આ સાથે આપણે ત્રણ અવંચકનું સ્વરૂપ પણ અવંચકાયનું સ્વરૂપ વિચારી જઈએ. જેઓના દર્શનથી પણ પવિત્રતા થાય એવા પુણ્યવાન મહાત્મા એની સાથે સંબંધ થ તે ગાવંચક કહેવાય છે. ઘણાખરા પ્રાણીઓને તે આવા મહાત્માઓને સંબંધ થવે જ અશક્ય છે અને ગુણવાન સાથે મેળાપ થાય તે તેઓને તેવા ગુણવાન તરીકે ઓળખવા એ પણ બહુ મુશ્કેલ છે, તેથી આઘ અવંચક ભાવ તરીકે ગુણવાન મહાત્માઓની ગુણવાન તરીકે ઓળખાણપૂર્વક તેઓ સાથે ચેડ-સંબંધને ગણવામાં આવ્યું છે. સત્સંગની કેટલી જરૂરીઆત છે તે આ ઉપરથી જણાશે અને તે વાતને કેટલું મહત્વ આપવામાં આવ્યું છે તેને પણ
SR No.011523
Book TitleJain Drushtie Yoga
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1974
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy