SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ સમાચાર ચરણકરણતુગને સંપૂર્ણ સમાવેશ થાય છે અને તે એટલે વિશાળ છે કે-તે પર જેમ જેમ વિચાર કરવામાં આવે તેમ તેમ તેમાંથી અનેક નવીન સત્ય નજર આગળ તરી આવે છે, મનને પ્રમોદ આપે છે અને અંતરાત્મા પ્રસન્ન થાય છે. સમતા શબ્દ માત્ર જીવો ઉપર જ કષાયત્યાગ જેટલા સંકુચિત અર્થમાં વપરાય છે તે અર્થમાં અહીં સમજવાને નથી. તે અર્થમાં વપરાતા સમતા શબ્દ પર અધ્યાત્મકલ્પદ્રુમના પ્રથમ સમતા અધિકારમાં વિવેચન કર્યું છે. અહીં તે વિવેકપૂર્વક તત્વવિચારણાના વિશાળ અર્થમાં સમતા શબ્દ વપરાય છે અને તે એટલે વિસ્તૃત શબ્દ છે કે-તેમાં આખા જૈન અને જૈનેતર તત્વજ્ઞાનને સમાવેશ થઈ જાય છે. કહેવાની જરૂર નથી કે સંકુચિત અર્થમાં સમતા શબ્દને જે ઉપગ અન્યત્ર થયો છે તે અર્થને પણ અત્ર નિર્દિષ્ટ કરેલા વિશાળ ભાવમાં સમાવેશ થઈ જાય છે. એક ખાસ મુદ્દાની વાત એ છે કેઅયાન વગર સમતાગ સંભવ નથી અને સમતાગ વગર ધ્યાન સંભવતું નથી અને બને જ્યારે સાથે હેય છે ત્યારે એક બીજાને વધારી વધારે સારી સ્થિતિમાં મૂકી પરસ્પર કારણભાવ પામે છે. આથી ધ્યાનગ સાધનારને આ સમતારોગની પૂરેપૂરી જરૂરીઆત છે. આ સમતાગમાં જે પ્રાણ આચરણ કરતે હોય છે તેને અનેક લબ્ધિઓ પ્રાપ્ત થયેલી હોય છે પણ તેની તત્વબુદ્ધિ એટલી સ્થિર થયેલી હોય છે કે તેવી લબ્ધિઓ અથવા અસાધારણ શક્તિઓને તે કદિ ઉપગ કરતું નથી, તે તેનું સ્થળ સ્વરૂપ સમજે છે અને તેમાં કદિ પણ લલચાઈ જતું નથી અને તેનાં સૂક્ષમ કર્મને પણ આ
SR No.011523
Book TitleJain Drushtie Yoga
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1974
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy