SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવના યોગ પ્રથમ અનિત્ય ભાવનામાં પ્રાણી વિચારે છે કે આ સંસારમાં પ્રાણી સંપત્તિ ઉપર રાચેમાગે છે પણ એ તે ચિર કાળ ટકતી નથી, અનેકને સંપત્તિ છોડી ૧. અનિત્ય ભાવના ચાલી જાય છે તે નજરે જોયું છે, ઘણા પ્રાણીઓ મોટી સંપત્તિના માલીક હેય તેને ભીખ માગતા જોયા છે ત્યારે એવી અસ્થિર સંપત્તિ ઉપર આધાર કેમ રખાય? પ્રાણી પિતાના યૌવનમાં મસ્ત રહે તે પણ તે કાયમ ટકતું નથી, વૃદ્ધાવસ્થા જરૂર પ્રાપ્ત થાય છે ત્યારે અથવા તે પહેલાં વ્યાધિથી શરીર ખરાબ થાય છે, શરીર પિતે અનિત્ય છે, અંતે પડવાનું છે અને કેઈને અમરપટે અત્રે છે જ નહિ. આકાશમાં વિજળીને ચમકારો થાય તેટલે વખત જ ટકે તેવી સંપત્તિ અથવા યૌવન ઉપર આધાર કેવી રીતે રાખી શકાય? ધર્મશાળાને ઘરનું ઘર માની તેમાં આસક્ત રહેનાર પ્રાણી વસ્તુસ્વરૂપ સમજાતું નથી; પિતાની સાધારણ પંછના સરવાળા કર્યા કરનાર, સરવૈયાના આંકડા જોઈ રાજી થનાર પિતાનું શું છે તે તપાસવા ઊભું રહેતું નથી, પૃથ્વી કેઈની થઈ નથી, કેઈ સાથે ગઈ નથી અને અત્યાર સુધીમાં તેણે અનેક પતિઓ કર્યા છે. આ પ્રમાણે દરેક વસ્તુ માટે વિચારવું. વસ્તુ પિતે નિત્ય નથી અને નિત્ય સંબંધ ન હોય તે નકામે છે, જે સંબંધને પરિણામે અંતે વિગ જરૂર થાય તે કેવી રીતે કરવા યોગ્ય ગણી શકાય? અનુત્તર વિમાનનાં અપૂર્વ સુખ ભેગવનાર દેવને અંતે ત્યાંથી પાત થાય છે અને થાય છે ત્યારે સુખ ભેગવેલું હોય છે તે પણ કડવું થઈ જાય છે અને પાછા ફરી દુઃખમાં અવતરવું પડે છે. વીજળી અને
SR No.011523
Book TitleJain Drushtie Yoga
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1974
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy