SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ : ૮૪ : જૈન દષ્ટિએ યોગ આવે, તેનું માખણ થાય, તેને તાવવામાં આવે, ત્યારે ઘી થાય છે, તેવી જ રીતે અંતિમ પહેલાના આવર્તમાં પ્રાણીમાં મેગ્યતા હેય છે તે પણ તે અંદર પડી રહે છે, વ્યક્ત થઈ શકતી નથી. આ સાથે એટલું પણ લક્ષ્યમાં રાખવાની જરૂર છે કે ગાય જેમ ઘાસ ખાધા વગર જીવી શકતી નથી અને ઘાસ ન ખાય તે દૂધની પ્રાપ્તિ પણ થતી નથી તેમ શુભ અધ્યવસાય પણ ક્રિયાની શુદ્ધિ અને શુદ્ધ ક્રિયાની પ્રવૃત્તિ વગર ટકી શકતા નથી અને તે વગર ઈચ્છિત ફળની પ્રાપ્તિ થતી નથી. ગૃહસ્થલિગે કૈવલ્યદશા પ્રાપ્ત કરનાર અથવા અન્ય લિંગે તે દશા પામનારનું આયુષ્ય બે ઘડીથી વધારે હોય તે જરૂર તે સાધુપ્રવૃત્તિ અને સાધુવેશ ધારણ કરે છે એમ શાસ્ત્રકાર કહે છે તેનું આ કારણ છે. પ્રવૃત્તિ અને પરિણતિ બનેને અરસ્પરસ આવી રીતે સાપેક્ષભાવ રહે છે એ વાત બહુ લક્ષ્યમાં રાખવા એગ્ય છે. સાથે એ પણ લક્ષ્યમાં રાખવાનું છે કે પરિણતિની શુદ્ધિ સાધ્ય છે અને ક્રિયાફળને આધાર તેના ઉપર જ રહે છે. ઘાસ ગમે તેટલું સારું હોય તે પણ રોગી કે મડદા જેવી ગાય તે ખાય તે તેનાથી દૂધની પ્રાપ્તિ થતી નથી. આથી ગાયની સારી સ્થિતિ દૂધને અંગે જેટલી જરૂરી છે તેવી જ રીતે અને શુભ અધ્યવસાય-સ્થિતિ સમજવી. આવી રીતે આપણે વેગનું લક્ષણ અને તેની પ્રાપ્તિને સમય અને તેને બતાવનારા આશયે વિચાર્યા. હવે આપણે ભેગના ભેદો સંબંધી વિચાર કરીએ. ગના ભેદ ગની પ્રાપ્તિને અને અનેક ગુણો ઉત્પન્ન થાય છે,
SR No.011523
Book TitleJain Drushtie Yoga
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1974
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy