SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ પસદષ્ટિ કે હ૩ : આપનાર અને અંતરંગ પર અસર કરનાર થાય છે. એવા સૂક્ષમ બોધને લઈને ચિત્તની એકાગ્રતા શકિકા જે બાધ, બહુ સારી રીતે થવા ઉપરાંત વિકલ્પને તેની વિચારણા નાશ થાય છે અને ઉત્ક્રાન્તિ બહુ જલી થતી જાય છે. અહીં તવબેધને અંગે પ્રવૃત્તિ” ગુણ પ્રાપ્ત થાય છે તેને લઈને આત્મગુણમાં સંપૂર્ણ પણે પ્રવર્તન થાય છે. અગાઉની દષ્ટિમાં જે પ્રતિપત્તિ તત્ત્વબેધને અંગે થઈ હતી તે અહીં પ્રવૃત્તિમાં પરિપૂર્ણતા પામે છે. એને લઈને એ પ્રાણ જે ક્રિયા કરે છે તેમાં તેને કઈ પણ પ્રકારનું દૂષણ લાગતું નથી અને તેને ક્રિયામાં એટલો રસ આવે છે કે તેનું વર્ણન થઈ શકે નહિ. અહીં ક્રિયા આત્મીય ગુણમાં પ્રવૃત્તિરૂપ સમજવી, બાહ્ય ક્રિયાઓને અહીં ઉપયોગ નથી, કારણ કે અંતરંગ પ્રવૃત્તિ થતી હોય ત્યાં બાહ્યાચારની વિચારણની જરૂર રહેતી નથી. એ દશામાં વર્તતે પ્રાણુ જે જે ક્રિયાઓ કરે છે તેમાં માનસિક દૂષણ લાગતાં નથી. જેમ ઉપશમણ, ક્ષપકશ્રેણી વિગેરે ઉપર આરોહણ કરવામાં આવે છે તેમ અહીં પ્રાણી એક ગુણણી પર પ્રકારની ગુણશ્રેણી ઉપર આરોહણ કરે છે આરહણ અને અનેક આત્મીય ગુણે પ્રાપ્ત કરે છે. આ ઉત્કૃષ્ટ દૃષ્ટિમાં વર્તતા તેના વચનને વિલાસ, તેના શરીરને ગંધ અને તેનું સર્વ વર્તન ચંદનની સુગંધની જેમ સર્વત્ર સુગંધ વિસ્તારનાર થાય છે એટલે તેની આજુબાજુનું વાતાવરણ પણ તેના ગુણને વિસ્તારનાર થઈ પડે છે. તેનામાં ક્ષમાદિક ધર્મો એટલા ઊંડી અસર કરનાર થઈ
SR No.011523
Book TitleJain Drushtie Yoga
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1974
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy