SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભાષ્ટિ કઈ ઉપર રાખતું જ નથી, પણ તેની પાડોશમાં તેની આજુ બાજુમાં પણ તેના વૈરત્યાગભાવનું વાતાવરણ એટલું દઢ ફેલાય છે કે તેની નજીકમાં રહેતા અન્ય પ્રાણુઓ પણ પિતાનું કુદરતી વૈર ભૂલી જઈ અરસ્પરસ હળીમળીને રહે છે. આવી જ રીતે બીજા યમનું પણ સમજી લેવું. વળી એવા બેધથી અહીં સંકલ્પવિકલ્પને ત્યાગ થાય છે અને પ્રશમ સુખ પ્રવર્તે છે. આ પ્રમાણે આ સૂર્યપ્રભા સદશ બેધનું ફળ થાય છે એમ શ્રી હરિભદ્રસૂરિ મહારાજે કહ્યું છે અને તેનું કેવું વિશિષ્ટ પરિણામ આવે છે તે આપણે હવે પછી વિચારીએ છીએ. આ દષ્ટિમાં શાન નામનું સાતમું ભેગનું અંગ પ્રાપ્ત થાય છે. અન્તર્યું. હુ સુધી એક વસ્તુ ઉપર ચિત્તની સર્વથા એકાગ્રતાને ધ્યાન કહેવામાં આવે છે, તે પર વિવેચન આગળ કરવામાં આવશે. યેય વસ્તુમાં એકાકાર વૃત્તિને પ્રવાહ તેનું નામ ધ્યાન કહેવામાં આવે છે. ધારણામાં વૃત્તિનું એક દેશમાં સ્થાપન કરી દયેય વસ્તુનું સવરૂપ રચવામાં આવે છે અને તે સિદ્ધ થવાથી તે વસ્તુમાં જે વૃત્તિને એકાકાર પ્રવાહ ચાલે છે તે ધ્યાન છે. આ ધ્યાનમાં જે પ્રવાહ ચાલે છે તે સતત ધારારૂપ હેતે નથી પણ મધ્યે વિUદવાળે હોય છે. એ વિચ્છેદ દૂર થવાથી જ્યારે અવિચ્છિન્ન પ્રવાહ સતતરૂપે ચાલ્યા કરે છે ત્યારે તે સમાધિ કહેવાય છે. આવી રીતે ધારણું, ધ્યાન અને સમાધિમાં શું તફાવત છે તે આ ઉપરથી સ્પષ્ટ થયું હશે. સમાધિ શબ્દ જે અર્થમાં અત્ર વાપર્યો છે તેની પ્રાપ્તિ આઠમી દૃષ્ટિમાં થવાની છે તે હવે પછી જણાશે. અહીં તત્વમેઘને અંગે પ્રતિપત્તિ ગુણસ્થાન પ્રાપ્ત થાય છે એટલે અહીં તત્વની આદરણા ૧ રચનામનું એક શા નામ યાન તે વરતુમ
SR No.011523
Book TitleJain Drushtie Yoga
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1974
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy