SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ આત્માની વિભાવ દશા પર્યાવજ્ઞાનમાં મન પર્યાય અર્થાત માનસિક વિવિધ આકૃતિચોનું પ્રત્યક્ષજ્ઞાન છે અને ચિંતનીયવસ્તુનું અનુમાન જ્ઞાન છે. - આ મન ૫ર્યવજ્ઞાન બે પ્રકારે છે. (૧) રાજુમતિ અને (૨) વિપુલમતિ. બાજુમતિની અપેક્ષાએ વિપુલમતિનું જ્ઞાન વિશુદ્ધત્તર છે. કેમકે ત્રાજુમતિ કરતાં વિપુલમતિ તે મનના સૂક્ષ્મતર પરિણમેને પણ જાણી શકે છે. વળી ત્રાજુમતિ ઉત્પન્ન થયા બાદ ચાલ્યું પણ જાય છે. વિપુલમતિ ચાલ્યું નહિં જતાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધી અવશ્ય રહે છે. અવધિ અને મનઃસ્પર્યવ એ બને જ્ઞાનની સીમા, રૂપીદ્રવ્ય પુરતી જ હોવા છતાં પણ વિશુદ્ધિ, ક્ષેત્ર, સ્વામી અને વિષય એ ચાર દષ્ટિથી તે બનેમાં અન્તર છે. ૧. મન:પર્યવજ્ઞાન પિતાના વિષયને અવધિજ્ઞાનની તુલનામાં વધુ સ્પષ્ટરૂપે જાણે છે. કારણકે મનના પર્યાને અવધિજ્ઞાન દ્વારા દ્રવ્યરૂપે જાણું શકાય છે, પરંતુ ચિંતનીય વસ્તુને ખ્યાલ તે મનઃ૫ર્યવજ્ઞાન સિવાય આવી શકતો નહીં હોવાથી અવધિજ્ઞાન કરતાં મન:પર્યવજ્ઞાન વિશુદ્ધતર છે. , ૨. અંગુલના અસંખ્યાતમા ભાગથી માંડી સમગ્ર લેકના સમગ્ર રૂપીદ્રવ્યને આત્મ પ્રત્યક્ષરૂપે જાણવામાં અને સંખ્ય પ્રકારનું તારતમ્ય હોવાથી, અવધિજ્ઞાન અસંખ્ય દે છે. ઉચ્ચતમ અવધિજ્ઞાને આખા લેકના સર્વ રૂપી પદાર્થોને
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy