SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ જૈન દર્શનને કર્મવાદ છે. લૌકિક સંકેત અનુસાર તે મતિ–કૃત–અવધિ તે જ્ઞાન જ છે. પરંતુ આધ્યાત્મિક સંકેતથી તે ત્રણે, જ્ઞાન અને અજ્ઞાન એમ બનને સ્વરૂપે હોય છે. એટલે આત્મ વિકાસમાં ઉપયોગી થવાવાળું જે જ્ઞાન તે સમ્યગજ્ઞાન, અને આત્મવિકાસમાં નડતરરૂપ જે જ્ઞાન તે અસમ્યગ જ્ઞાન યા અજ્ઞાન કહેવાય છે. વાસ્તવિક રીતે અસમ્યગ્રજ્ઞાન એટલે અજ્ઞાન પણ, છેતે જ્ઞાન સ્વરૂપેજ. સમ્યગજ્ઞાન અને અસભ્ય જ્ઞાન (અજ્ઞાન) માં ચૈતન્યશક્તિ તે એક જ જાતની હોવા છતાં મિથ્યાભાવ સહકૃત જ્ઞાને પગને અજ્ઞાન રૂપે અને સમ્યગભાવ સહેકૃત જ્ઞાનેપગને જ્ઞાન રૂપે જણાવ્યું છે. અજ્ઞાન એ જ્ઞાનને વિપર્યય છે. તેના કારણથી જગતમાં મતમતાં તરે અને ધર્મશાસ્ત્રના ભેદે વતે છે. જગતના જીવોની દષ્ટિ અને લક્ષ બે પ્રકારે છે. (૧) આધ્યાત્મિક દ્રષ્ટિ અને (૨) વ્યવહારિક દષ્ટિ. (૧) આત્માથી સંબંધિત વિષય પર વિચાર કરવાવાલી દૃષ્ટિ–લક્ષ્ય યા જાગૃતિનું નામ આધ્યાત્મિક દષ્ટિ છે. (૨) આત્મા સિવાય અન્ય તત્વો પર મનન કરવાવાળી તે વ્યવહારિક અથવા ઓઘદૃષ્ટિ કહેવાય છે. આધ્યાત્મિક દૃષ્ટિવાળા જીવનું ચિંતન તે આત્માના તાત્વિક સ્વરૂપ અને તેને સ્પષ્ટ પ્રતીત કરવાના સાધન અને અંતિમ સાધ્ય મેક્ષાદિની પ્રાપ્તિમાં મુખ્યપણે વતે છે. અને વ્યવહારિક દૃષ્ટિવાળા જીવનું ચિંતન, તે વ્યવહારિક
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy