SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન શ્રી મહાવીરદેવે પ્રતિપાદન કરેલ જેના દર્શનના કર્મવાદથી જ પ્રાપ્ત થાય છે. ભારતની સમસ્ત દાર્શનિક અને નૈતિક વિચારધારાઓમાં કોઈને કોઈ પ્રકારે પણ કર્મવાદ વિદ્યમાન છે જ. તથાપિ તેનું સુવિકસિત રૂપ જૈન પરંપરામાં જેવું ઉપલબ્ધ છે, તેવું અન્યત્ર નથી. એટલે સૃષ્ટિ નિર્માણના મૂળ તત્વની સાચી સમજ જૈન દર્શનથી જ મળી શકે છે. કર્મવાદના પૂર્ણ રહસ્યને નહિ સમજી શકનારાઓ સષ્ટિ નિમણમાં ઈશ્વરવાદની માન્યતા ધરાવે છે. પરંતુ જૈન દર્શન તે કહે છે કે નિરંજન નિરાકાર કૃતાર્થ સ્વરૂપમણુ અખંડાનંદી એવા પરમાત્માને આ અનેક ઉપાધિમય જગચ્ચક્ર ચલાવવાની ઉપાધી ઉભી કરવાનું શું પ્રોજન હોય ? માટે સુષ્ટિ વિચિત્રતા અને સષ્ટિ નિર્માણના કારણે તરીકે ઈશ્વરને માનો તે ઈશ્વરપણામાં અત્યંત ખામી જણુવનારૂં છે. અને જીવોની વિચિત્રતામાં તથા તે સિવાયના દ્રશ્ય પદાર્થોની વિચિત્રતામાં તે પુદગલ પરિણામ જ કારણિક છે. જૈન દર્શનમાં માન્ય સ્વતઃ સિદ્ધ (કાઈ એ પણ નહિં બનાવેલ એવા) જીવાસ્તિકાય, ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદગલાસ્તિકાય અને કાળ એ છ મૌલિક પદાર્થો પૈકી આકાશ–પુદગલ અને જીવ એ ત્રણનું અસ્તિત્વતો અય દર્શનમાં પણ પ્રસિદ્ધ છે. જૈન દર્શન કહે છે કે કેમ એ અન્ય કોઈ ચીજ નહિં હોતાં આત્મા સાથે સંબંધ પામેલ પુગલદ્રવ્યનું જ પરિણામ છે. કમને પુદ્ગલ દ્રવ્યના જ પરિણામ તરીકે સિદ્ધ કરવાની, જીવ અને કર્મના થતા સંબંધના કારણની, તે સાગના અનાદિપણુની, ચૌદરાજકમાં સર્વ સ્થળે વર્તતી વિવિધ મુદ્દગલ વર્ગણુઓ પૈકી
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy