SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ આત્માની વિભાવદશા છે. પરંતુ પૂર્વોક્ત ૨૮ ભેદની માફક આ ચાર પ્રકારની બુદ્ધિમાં રેજના વ્યવહારમાં આવતા જાણીતા પદાર્થોનું મતિજ્ઞાન નથી. તેમાં તે, સહજ રીતે નવે ખ્યાલ, ઉત્પન્ન કરવાવાળું મતિજ્ઞાન હેવાથી અછૂતનિશ્ચિત મતિજ્ઞાન કહેવાય છે. અને પૂર્વોક્ત ૨૮ ભેદમાં રેજના વ્યવહારમાં આવતા જાણીતા પદાર્થોનું મતિજ્ઞાન હોવાથી તેને શ્રતનિશ્ચિત મતિજ્ઞાન કહેવાય છે એમ ઉપરોક્ત ૩૩૬ ભેદમાં આ ચાર બુદ્ધિ ભેળવતાં કુલ્લ ૩૪૦ ભેદે મતિજ્ઞાન જૈનશાસ્ત્રમાં બતાવ્યું છે. આ બધો સૂફમવિચાર વ્યવસ્થિત રીતે અને તે પણ ગ્ય પારિભાષિક શબ્દો સાથે જૈનશાસ્ત્રમાં કરવામાં આવેલ હોવાથી મતિજ્ઞાનનું સ્વરૂપ, જૈનશાસ્ત્ર દ્વારા જ સારી રીતે સમજી શકાય છે. અહીં બહ, અબહુ આદિનું તથા ચાર બુદ્ધિનું સ્વરૂપ નદીસૂત્રમાં બહુ જ સ્પષ્ટતાથી વિસ્તારપૂર્વક દૃષ્ટાંત સહિત જણાવ્યું છે. આ રીતે જીવેમાં વિવિધ પ્રકારે વર્તતી મતિજ્ઞાનરૂપ ચૈતન્યતાને ખ્યાલ–જૈનશાસ્ત્રો દ્વારા સમજ જરૂરી છે. હવે કૃતજ્ઞાન અંગે વિચારીએ તે પૂર્વોક્ત ધારણા સ્વરૂપે જે ઈન્દ્રિયના જે વિષયનો ઉપયોગ જ્યાંસુધી ચાલી રહ્યો છે, ત્યાંસુધી તો તે ઉપયોગ મતિજ્ઞાનેપગ તરીકે કહેવાય છે. ત્યાંથી આગળ વધીને તે વસ્તુના ત્રિકાલિક વિષયમાં પ્રવૃત્ત થવાવાળ અર્થાત્ તે વસ્તુના પૂર્વપરિચયના ગ્યાલસહિત વર્તતે તે ઉપગ કૃતજ્ઞાનોપચેગ કહેવાય છે. અને તે -ઉપગ કૃતલબ્ધિ-જ્ઞાનથી જ વર્તે છે. પૂર્વે જાણેલી અનુભવેલી વસ્તુને પુનઃ પ્રત્યક્ષ .. સંબધ થાય છે, ત્યારે
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy