SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માની વિભાવ દશા ૨૫ -- - - -* જથ્થા પ્રમાણ હોય તે જ વિષય જાણી શકાય છે. જો કે સ્પષ્ટ અણુસ્ક ન્યુન પ્રમાણમાં હોવા ટાઈમે વિષયને જાણું તો શકે છે, પરંતુ બહુ જ અલ્પ રીતે જાણવાથી તે જ્ઞાન વ્યવહાર્ય થઈ શકતું નથી. કોઈ પ્રાણિઓની અમુક ‘ઈન્દ્રિયો વધુ સતેજ હોય છે તેઓ તે ન્યુન પ્રમાણ અણુ ધોથી પણ વ્યવહાર્ય થઈ શકે તે રીતે વિષયજ્ઞાન કરી શકે છે. એટલે કેઈ પ્રાણિની અમુક ઈન્દ્રિય સતેજ હોય છે તે કેઈ પ્રાણિની અન્ય ઇન્દ્રિય સતેજ હોય છે. આ પ્રમાણે ઇન્દ્રિયની તાકાત અનુસાર પદાર્થના પૃષ્ટ આણંસ્કો દ્વારા મણિ, વિષયને જાણી શકે છે. એક અણુ પણ ઇન્દ્રિયને સ્પશે તે ટાઈમે તે જાણવા માટે જ્ઞાન પ્રયત્ન કર્યા વિના તે રહેતું જ નથી. જ્ઞાનના તે પ્રયત્નને ઉપગ કહેવાય છે. તે ઉપગમાં વિષય પકડાયા છતાં પણ તે વિષયની -વનંતી અવ્યક્ત અસરને “વ્યંજનાવગ્રહ” કહેવાય છે. અહીં વ્યંજનાવગ્રહ એટલે ગ્રહણવિષયની આત્મામાં થતી અવ્યકત અસર. તે ટાઈમે પ્રવૃત્ત મતિજ્ઞાન ને “ વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન” કહેવાય છે. એ રીતે મન અને ચક્ષુ સિવાય શેષ ચાર ઇન્દ્રિયેને ધૃષ્ટ પદાર્થનું અવ્યક્તજ્ઞાન તે, તે ઈન્દ્રિયેના સંબધ વાળું વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન કહેવાતું હોવાથી ચાર ઈન્દ્રિય આશ્રયી વ્યંજનાવગ્રહ મતિ જ્ઞાન ચાર પ્રકારે હોય છે. (૧) સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન (૨) રસનેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન (૩) ધ્રાણેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન (૪) શ્રોત્રેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન.
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy