SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ જૈન દર્શનને કર્મવાદ છે. કેમકે તે સુખને કઈ પણ ઉપમાથી સમજાવી શકાય તેવું નથી. જેમ જન્માંધમનુષ્ય સૂર્યાદિકની વ્યાખ્યા કરી શકતે નથી, તેમ અજ્ઞાની જીવ પણ આત્મિક સુખની વ્યાખ્યા કરી શકતો નથી. કેમકે તેને તેનું લેશમાત્ર પણ જ્ઞાન નથી. જેમ યતિનું સુખ વિશેષ પ્રકારના ક્ષયોપશમ ભાવયુક્ત હોવાથી યતિસિવાય બીજે કઈ તેને અનુભવ કરી શકતું નથી, આરોગ્ય સુખને રોગગ્રસ્ત પ્રાણ સમજી શકતો નથી, તેમ આત્મિક–અવ્યાબાધ સુખનું તાત્વિક સ્વરૂપ બુદ્ધિગમ્ય નહીં હોવાથી સર્વથા અચિત્ય અર્થાત્ બુદ્ધિથી અવર્ણનીય છે. જે આત્માના અનંત ચતુષ્કાદિ ગુણે બિલકુલ નિરાવરણ બની પ્રગટ થયા છે, તે જ આ અવ્યાખાધ સુખનો ભક્તા છે. તે જ પ્રરમેશ્વર છે. અનન્તગુણોની પ્રત્યક્ષતા તે જ ઈશ્વરતા છે. અનન્તગુણોનું પ્રગટરૂપે મળવું તે જ ઈશ્વર શેધન યા ઈશ્વર પ્રાપ્તિને તાત્પર્ય છે. આત્માના અનન્તગુણનું સ્વરૂપ તે જ ઈશ્વરત્વ યા ધર્મ છે. મેક્ષપ્રાપ્તિ અગર કૈવલ્ય પ્રાપ્તિ સમયે ઈશ્વરત્વની પૂર્ણતાને પામેલ તે આત્મા ઈશ્વર બને છે. સર્વ સંસારી આત્માઓમાં પણ આ રીતે ઈશ્વરતા તિભાવે વિદ્યમાન છે. પિતાના જ્ઞાનદર્શનાદિગુણ ક્ષાર્મિકભાવે પ્રગટ થાય ત્યારે જ પિતાની અનન્ત રિદ્ધિને આત્મા પ્રત્યક્ષરૂપે દેખે છે. જેમ પિતાની નાભિમાં રહેલી કસ્તુરીને માટે મૃગ અહીંતહીં દેડ્યા જ કરે છે. કેમકે તેને એ ભ્રમ છે કે આ સુગધ બીજેથી આવી રહી છે. તેવી રીતે અજ્ઞાની આત્મા પણું, પિતાની અનન્ત રિદ્ધિને ખ્યાલ નહીં હોવાથી અન્ય સ્થાને સુખ
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy