SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮ જૈનદર્શનના કમવાદ છે. જ્યારે પૂદ્ધ કમ'ની નિરા (ક્રમે ક્રમે નાશ) કર નાર તા તપ જ છે. પૂજ્ય શ્રી ઉમાસ્વાતિ વાચકવરે તત્ત્વાર્થ સૂત્રમાં પણ કહ્યુ` છે કે તપન્ના નિર્નવા શ. તપસ્યાથી નિર્જરા થાય છે. એ તપ છ માહ્ય અને છ અભ્યંતર એમ ખાર પ્રકારના છે. (૧) સિદ્ધાંત વિધિએ આહારના ત્યાગ કરવા તે અનશન. (૨) ક્ષુધા કરતાં ન્યૂન આહાર કરવા તે ઊના દરિકાતપ. (૩) દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી ભિક્ષા વિગેરેના અભિગ્રહ કરવા તે વૃત્તિસંક્ષેપ. (૪) દુધ-હિ-ઘી-તેલ-ગાળ અને તળેલી વસ્તુ એ છ વિગયના યથાશકિત ત્યાગ અને મદિરા-માંસ-માંખણુ અને મધ એ ચાર મહાવિગયના સવથા ત્યાગ કરવા તે રસત્યાગ છે. (૫) વીરાસન આદિ આસનાથી બેસવુ, કાચેાત્સગ કરવા અને કેશના લેાચ કરવા ઈત્યાદિને કાયલેશ તપ કહેવાય છે. (૬) અશુભ માગે પ્રવર્ત્તતી ઈન્દ્રિયાને પાછી હટાવવી કાચા રાકવા, અશુભચેાગથી નિવત્તવું અને સ્ત્રી, પશુ, નપુસકના સ“સગ વાળા સ્થાનના ત્યાગ કરી સારા સ્થાનમાં રહેવું એ રીતે ચાર પ્રકારના તપ તે સ‘લીનતા તપ છે.
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy