SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મબન્ધના હેતુઓ ૩૮૭ અને મન. એ બનેને કર્મબંધના કારણ તરીકે જુદું ગણાવવાનું કારણ એ છે કે સ્પર્શ-રૂપ–રસ–ગધ અને શબ્દના વિષયમાં ઇંદ્રિયની પ્રવૃત્તિ વિના વિકલ્પ માત્રથી પણ જીવ કર્મબંધ કરે છે. શાસ્ત્રમાં તંદલીઆ માસ્યની હકિક્ત આવે છે કે તે મત્સ્ય વગર ખાધે સાતમી નરકે જાય છે. મોટા મસ્યાની પાંપણમાં તંદુલીઓ મત્સ્ય રહે છે. પેલા મેટા મત્સ્યના મેંમાં પાણી સાથે આવેલાં નાનાં માછલાંઓમાંથી કેટલાંકને પાછાં નીકળી જતાં જોઈ તાંદલીઓ વિચારે છે કે અરે ! આ કેવો મૂર્મો કે જે મેંમાં આવેલાં આ બધાં માછલાને જવા દે છે. તેની જગાએ જે હું હાઉ તે એકને પણ જીવતું પાછું જાવા દઉં નહિં. બધાંજ ખાઈ જાઉં. પણ મારી તેવી તાકાત નથી એટલે શું થાય? જુઓ ! વિના પ્રવૃત્તિએ પણ આવા આત્માઓ કેવું પાપ બાંધે છે? આ ઠેકાણે તંદુલીઓ એકપણ ઇંદ્રિયની પ્રવૃત્તિવાળ નથી. માત્ર મનવડે જ ખરાબ વિચાર કરવાથી સાતમી નરકનું આયુષ્ય બાંધે છે. પરિણામે મરીને સાતમી નારકીમાંજ જાય છે. હવે સાવધકાર્યમાં ઈદ્ધિની તથા મનની પ્રવૃત્તિ હોવા છતાં “બંધનું કારણ માત્ર એક મન જ છે.” એ વાકયને બરાબર સમજ્યા વિના, વિષય કષાયને પોષવાને માટે શાસ્ત્રના નામે કેટલાક મનુષ્ય પ્રપંચ સેવે છે. ઇંદ્રિ વડે સાવદ્ય પ્રવૃત્તિમાં પ્રવર્તવા છતાં અમારું મન ચેકનું છે, એટલે “પરિણામે બંધ હાય” એ વાકયાનુસાર ઈદ્રિય
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy