SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ જેને દર્શન કર્મવાદ - - - - - - - - - - - - - - - - - - - બચી શકાય છે, અહિંસાની વાસ્તવિક વ્યાખ્યા શું હોઈ શકે આ બધું જે સમજે, અગર તે સંપૂર્ણપણે સમજવાની સમજશક્તિને પોતાનામાં અભાવ હોય તે જેઓ સમજી શક્યા હોય તેવા સદગુરૂઓની નિશ્રાએ રહી અહિંસાપાલનને ચોગ્ય પ્રવૃત્તિમાં પ્રવર્તે તેઓજ પાપની અવિરતિથી બચી શકે છે. એ રીતે દરેક પાપસ્થાનક અંગે સમજવું. અને એ રીતની સમજ પામવાને માટે સર્વજ્ઞ પુરૂ પ્રત્યે અચલ શ્રદ્ધાળુ બનવું જોઈએ. તેવી શ્રદ્ધામાં જેટલી ન્યૂનતા, તેટલું મિથ્યાત્વ. મિથ્યાત્વ જ ભયંકરમાં ભયંકર પાપસ્થાનક છે. મિથ્યાત્વથી સર્વથા નિવૃત્ત થયા વિના શેષ સત્તર પાપસ્થાનકથી યથાર્થ રીતે નિવૃત્ત થઈ શકાતું નથી. પરભવ–પુન્ય–એક્ષ વીગેરેને સ્વીકાર કરનાર દરેક આસ્તિકોએ જીવતત્ત્વ તે માન્યું છે. પરંતુ ખાણમાં રહેલા ખનીજ પદાર્થ, પાણી, અશિ, વાયુ, અને વનસ્પતિ એ પાંચ * સ્થાવરમાં જીવપણું હોવાનો સ્વીકાર તે માત્ર જૈનદર્શનમાં જ છે. હાલતા ચાલતા જ તે ત્રસ કહેવાય. આ ત્રસકાયમાં જીવ હેવાનું અન્ય આસ્તિકોએ સ્વીકાર્યું, પણ ઉપરોક્ત પાંચ સ્થાવરમાં જીવ હેવાનું નહિ સ્વીકાર્યું. કદાચ સ્વીકાર્યું તે પણ તેની હિંસા કે જયણાને માગ નહિ સ્વીકાર્યો. એટલું જ નહિ પરંતુ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય જીવોની હિંસા કે જયણાની.
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy