SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - સ્થિતિધરસબંધ અને પ્રદેશબંધ ૩૪૩ અમુક સમયે શુભ કહેવાય છે. જો કે આ હકિકત ઘણાને આશ્ચર્યભૂત લાગે, પરંતુ તે સહેજે સમજી શકાય તેવી વસ્તુ છે. સે ડીગ્રીથી એકસે પાંચ ડીગ્રી સુધી ચઢતે તાવ વૃદ્ધિ પામતો હોય ત્યારે તેને દરેક પોઈન્ટ ગ્લાનિસૂચક થાય છે, અને પાંચ ડીગ્રીથી હીનતા પામવા ટાઈમે એટલે ઉતરતા ટાઈમે તેજ પોઈનટ આનંદસૂચક ગણાય છે. આ રીતે ૧ થી ૫ ડિગ્રી સુધીના દરેક પિન્ટમાં અપેક્ષાભેદથી વિચારીયે તે સારા અને નરસાપણું અને સંભવે છે. એ રીતે વૃદ્ધિ પામતા કષાની અપેક્ષાએ વર્તતા જે અધ્યવસાયે અશુભ કહેવાય છે, તેજ અધ્યવસા ઓસરતા (ક્ષીણ થતા) કવાની અપેક્ષાએ શુભ કહેવાય છે. ચઢતા ગુણસ્થાનકવાળા જીની અપેક્ષાએ જે કાષયિક અધ્યવસાયે શુભ છે, તે જ કાષયિક અધ્યવસાય, પડતા જીવની અપેક્ષાએ અશુભ છે. શુભ અધ્યવસાયેથી કર્મસ્કધામાં ઉત્પન્ન થતે રસ આલ્હાજન્ય છે. અને અશુભ અધ્યવસાયથી ઉત્પન્ન થતો રસ અનિષ્ઠ છે. કર્મના પ્રત્યેક સ્થિતિસ્થાનકબંધમાં તીવ્ર–તીવ્રતર–મન્ટ અને મન્દતરાદિ અસંખ્ય લેકાકાશ પ્રદેશ પ્રમાણુ કષાદયનાં સ્થાન છે. આમાં અમુક એક સ્થિતિબંધને રોચ્ચ ભિન્ન ભિન્ન કષાદય હોવા છતાં ઘણું જીવ આશ્રયી સ્થિતિ સરખી જ બંધાય છે.
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy