SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ -- -- - - - સ્થિતિબધ–સબંધ અને પ્રદેશબંધ - ૩૩૭ રસ એટલે શું ? એની સ્પષ્ટતા આપણે આ પ્રમાણે વિચારી, છતાં એ વિષયની અતિ સ્પષ્ટપણે અને વિસ્તૃત રીતે સમજણ પ્રાપ્ત કરવા પહેલાં પુનઃ એક વખત રસબંધની વ્યાખ્યા વિચારી જઈએ. “ જ્ઞાનદર્શનાદિ આત્મગુણેને હિનાધિક પ્રમાણમાં દબાવી શકવાની અને ન્યુનાધિક રીતે સુખ–દુઃખની અસર આત્માને પેદા કરવાની, પરિણામને અનુસરી કર્મપરમાણુંઓમાં ઉત્પન્ન થયેલી જે શક્તિ, તેને રસબંધ કહેવાય છે ? આત્મા પ્રત્યેક સમયે મિથ્યાત્વાદિ હેતુઓ વડે અનતાનંત પ્રદેશયુક્ત અનંત કર્મસ્ક ધ ગ્રહણ કરે છે. છતાં ઉપર કહ્યા મુજબ આત્માના જ્ઞાનાદિ ગુણોને દબાવવાની કે સુખદુઃખને અનુભવ કરાવવાની શક્તિનું પ્રમાણ એક જીવ આશ્રયી કર્યગ્રહણના સમયમાં ગ્રહિત કર્મચ્છમાં પ્રત્યેક વખતે એક સરખું જ હોય એવો નિયમ નથી. વળી એક સમયે કર્મસ્કંધને ગ્રહણ કરતા ઘણું જ આશ્રયી પણ પ્રત્યેક જીવે ગ્રહિત કર્મસ્કોમાં રસબંધની સમાનતા હોય એ પણ નિયમ નથી. આ બધા રસબંધમાં ભિન્નતા હોય છે. તે ભિન્નતા અનંતપ્રકારની હોવાથી રસબંધ યા અનુભાગબંધ અનંત પ્રકારનો કહ્યો છે. અનંત પ્રકારે થતા તે અનુભાગબંધ પિકી જઘન્યમાં જઘન્ય થતે રસબંધ તે પહેલું અનુભાગ બંધસ્થાન ગણાય. આ જઘન્ય યા પહેલા અનુભાગ બંધસ્થાનમાં પણ કેટલા રસાશને સમુહ હોય છે, તે અગાઉ કહેવાઈ ગયું ૨૨
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy