SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - સ્થિતિબંધ-રસબંધ અને પ્રદેશબંધ ‘ટ૮ જ્ઞાનાવરણીય વીગેરે આઠ કર્મોની સ્થિતિ જેમ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કેટિની હોઈ શકે છે, તેમ જઘન્યમાં જઘન્ય કોટિની ૫ણ હોઈ શકે છેતેવા પ્રકારના પરિણામથી સંચિત થતાં આઠ પ્રકારનાં કમૅમાં વેદનીય કર્મની જઘન્યમાં જઘન્ય સ્થિતિ બાર મૂહૂર્ત માત્રની હોય છે; નામકર્મ અને બેત્ર કર્મની જઘન્યમાંજઘન્ય સ્થિતિ આઠ મુહૂર્ત માત્રની હોય છે, જ્યારે બાકીનાં જે જ્ઞાનાવરણીય દર્શનાવરણીય, મેહનીય, આયુષ્ય અને અન્તરાય એ પાંચ પ્રકારના કર્મોની જઘન્યમાં જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત માત્રની હોય છે. આ પ્રમાણે ઉત્કૃષ્ટ રિથતિ અને જઘન્ય સ્થિતિનું પ્રમાણ મૂળ કર્મ પ્રકૃતિએ અંગેનું છે. આઠે કર્મની દરેક ઉત્તર પ્રકૃતિને ઉત્કૃષ્ટ તથા જઘન્યસ્થિતિબધ, ગુણઠાણ તથા ગતિને વિષે "ઉત્કૃષ–જઘન્યસ્થિતિબંધનું અલ્પ બહત્વ, એ વગેરે સ્થિતિઅધ અંગે વિસ્તૃત વર્ણન, પંચમ કર્મગ્રંથ ગાથા ૨૬ થી ગાથા પર સુધીમાંથી તથા પંચ સંગ્રહમાં ચેથા બંધ હેતુ દ્વારમાં આપેલ રિતિબંધના અધિકારમાંથી સમજી લેવું જરૂરી છે. સ્થિતિબંધને અલ્પાયિક્તાને આધાર સંકલેશ કે વિશુદ્ધિ છે. જેમ જેમ સંકલેશ વધારે તેમ તેમ સ્થિતિને બંધ વધારે, જેમ જેમ સંશ એ છે અને વિશુદ્ધિ વિધારે તેમ તેમ સ્થિતિનો બંધ અલ્પ અલ્પ થાય છે. કષાયના ઉદયથી ઉત્પન્ન થયેલા જે અશુભ અધ્યવસાય તે સંકલેશ કહેવાય છે. સ્થિતિમાં અને અનુભાગ (રસ) બંધ
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy