SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ કમ પ્રકૃતિઓનું વિવિધ રીતે વર્ગીકરણ ૨૮૮ સંગે ઉપસ્થિત થાય છે. આત્માનું શાશ્વત સ્થાન તે - આ ચાર સચોગવાળું છે, પરંતુ ઘાતી કર્મના સગવાળાં ચાર અઘાતી કર્મો વડે આત્મા તેથી વિપરીત સંગમાં ભટકી શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી. શાશ્વત શાંતિની પ્રાપ્તિ તે ઉપરોક્ત ગુણવાળા શાશ્વત સ્થાનમાં જ છે. સામાન્યતઃ અક્ષયસ્થીતિ આદિ ચાર સાગોને રોધ ચાર અઘાતી કર્મો વડે જ થાય છે, પરંતુ અઘાતી કર્મોનું બળ ઘાતકર્મના આધારે જ છે. વળી અઘાતી કર્મ ઉત્પન્ન કરનાર ઘાતી કર્મ જ છે. એટલે ઘાતી કર્મોને ક્ષય થયે છતે અઘાતી કર્મોને ક્ષય તે સ્વભાવિક થવાને જ છે. માટે આત્માના સ્વરૂપમાં બાધા નાખી આત્મ–સ્વરૂપને પ્રગટ નહિ થવા દેવાવાળાં તે મુખ્યત્વે જ્ઞાનાવરણયદર્શનાવરણય–મોહનીય અને અંતરાય એ ચારે કર્મ જ ઘાતી કર્મ તરીકે ઓળખાય છે. અને આત્માના સ્વભાવિક સ્વરૂપને પ્રતિરોધ નહિ કરનાર તથા જેના ઉદયથી બાહ્ય સામગ્રીની પ્રાપ્તિ થાય છે તે બાહ્ય સામગ્રી સાથે સંબંધવાળાં વેદનીય–આયુ–નામ અને ગોત્ર એ ચારે કર્મો અઘાતી કર્મો કહેવાય છે. જ્ઞાનાવરણીય-દર્શનાવરણય– મોહનીય અને અંતરાય એ ચારે કર્મોને આત્મામાંથી સર્વથા. ક્ષય થવા વડે આત્મામાં અનંતજ્ઞાનાદિ ગુણો ક્ષાયિક ભાવે પ્રગટ થાય છે. જ્યાંસુધી તે ગુણે ક્ષાયિક ભાવે પ્રગટ થતા નથી, ત્યાં સુધી આત્મામાં અલ્પાશે ચા અધિક વિકારે પ્રવતી રહે છે.
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy