SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ જૈન દર્શનને કર્મવાદ સ્થાવર નામકર્મ છે. સનાકર્મના ઉદયવાળા જીવે તે ત્રસ કહેવાય છે. જેમકે બેઈન્દ્રિયાદિ. અને સ્થાવરનામકર્મના ઉદયવાળા છે તે સ્થાવર કહેવાય છે. જેમકે એકેન્દ્રિય છે. (૩–૪) જે પ્રાણિઓનાં ઘણાં શરીરે એકત્ર મળવા છતાં પણ ચર્મચક્ષુને અગોચર હેય અર્થાત્ આંખે ન દેખી શકાય એવા સૂક્ષમ પરિણામવાળા શરીરની પ્રાપ્તિ કરાવનારૂ કર્મ તે “સૂક્ષ્મનામકર્મ’ છે. અને એક અગર ઘણાં શરીર ભેગાં થવાથી દેખી શકાય તેવા સ્થૂલ પરિણામવાળા શરીરની પ્રાપ્તિ કરાવનારૂં જે કર્મ તે “બાદર નામકર્મ” છે. સૂક્ષ્મ પરિણામી શરીરધારી જી “સૂક્ષ્મ કહેવાય છે. અને બાદર પરિણામી શરીરધારી જીવો “બાદર કહેવાય છે. (૫-૬) જીવ પિતાના મરણ કાળ પહેલાં સ્વાગ્યા પર્યાપ્તિની રચના પૂરી કરી લે તે જીવ પર્યાપ્ત” કહેવાય છે. અને સ્વયેગ્ય પર્યાપ્તિઓની રચના પૂરી કર્યા પહેલાં જ મરણ પામી જાય તે જીવ “અપર્યાપ્ત” કહેવાય. છે. આ પર્યાપ્તપણાનું નિયામક કર્મ તે પર્યાપ્ત નામ કર્મ છે. અને અપર્યાપ્તપણાનું નિયામક કર્મ તે. અપર્યાપ્ત નામ કર્મ છે. પ્રત્યેક સંસારી જીવ નવા ભવમાં ઉત્પન્ન થયા બાદ. -જે જીવન શક્તિઓથી શરીર ટકાવી પિતાનું જીવન ચલાવી. શકે છે તે જીવનશક્તિઓનું નામ પર્યાસિ કહેવાય છે .
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy