SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકૃતિ અધ ૨૪૦ આહારક લબ્ધિવાળા મુનિને વૈક્રિય લબ્ધિને પણ સભવ હાવા છતાં તે અને લબ્ધિના ઉપયેાગ એકી સાથે થતા નથી. કેમકે વૈક્રિય શરીર વિકો પછી અવશ્ય પ્રમ તદ્દશા અને આહારક શરીર વિષુ પછી શુદ્ધ અચ્વસાયના સભવ હાવાથી અપ્રમત્ત ભાવ હાય છે. પ્રમત્તદશા અને અપ્રમત્તભાવ મને એક સાથે હાઈ નહીં” શકવાથી અને શરીરની વિકર્ણોપણ એકી સાથે થઈ શકે નહી. એટલે એકી સાથે તે વધુમાં વધુ ચાર શરીરા જ હાઈ શકે, એક કરતાં પણ વધુ શરીરેાની સાથે જીવના પ્રદેશોના અખડપણે સંબધ દીપકના પ્રકાશની જેમ ઘટી શકે છે. ઔદ્યારિકશરીર જન્મસિદ્ધ જ છે. જન્મઢારા જે પેઢા થાય તે જન્મસિદ્ધ કહેવાય. વૈક્રિય શરીર તે જન્મસિદ્ધ અને કૃત્રિમ એમ એ પ્રકારનાં હેાય છે. કૃત્રિમ વક્રિયનું કારણ “ લબ્ધિ ” છે. એક પ્રકારની તપેાજન્યશક્તિને લબ્ધિ કહેવાય છે. લબ્ધિજન્ય વૈયિશરીરના અધિકારી અમુક ગ જ મનુષ્ય અને તિયાઁચ જ હોઈ શકે છે. તપેાજન્ય લબ્ધિ સિવાયની જન્મથી જ મળવાવાળી એક બીજી લબ્ધિ પણ કૃત્રિમ વૈક્રિયના કારણમાં કેટલાક આદરવાયુકાય જીવાને માનવામાં આવેલી હોઈ તે જીવેામાં પણ લબ્ધિજન્ય કૃત્રિમવૈક્રિયાશરીર હાઈ શકે છે. - ગર્ભજ આહારકશરીર તે કૃત્રિમ જ હાઈ એક વિશિષ્ટ પ્રકારની લબ્ધિજન્ય જ છે.
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy