SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકૃતિ બંધ - ૨૩૩ ગતિ અને નરક ગતિ, એમ ગતિ તે ચાર પ્રકારે છે, એટલે તે તે ગતિને અપાવનાર કર્મપણું અનુક્રમે દેવગતિ નામકર્મ, મનુષ્યગતિ નામકર્મ, તિર્યંચગતિ નામકર્મ અને નરકગતિનામકર્મ એમ ગતિનામકર્મ પણ ચાર પ્રકારે છે. ગતિનામકર્મને ઉદય તે આયુકર્મને અનુસરીને જ વર્તતે હેઈ, વિપાકેદયથી પણ ભેગવાય અને પ્રદેશદયથી પણ ભેગવાય છે. કેટકેટી સાગરોપમના સ્થિતિબંધવાળું ગતિનામકર્મ, તેટલી સ્થિતિવાળું આયુષ્યકમ હોય તે જ વિપાકેદયથી ભેગવી શકાય. પણ આયુષ્યકમની સ્થિતિ તે તેત્રીસસાગરેપમથી અધિક હોઈ શકતી જ નથી. વળી ચાર પ્રકારના ગતિનામકર્મમાંથી કઈ એક પ્રકારના ગતિનામકર્મના ઉદય વખતે તે ગતિને અનુકુળ જ આયુષ્યકર્મને ઉદય આવવું જોઈએ એવું પણ બની શકતું નથી. કારણ કે વર્તમાન આયુના ઉદય સમયે બધાએલ આગામી ભવનું આયુકર્મ તે વર્તમાન આયુષ્ય પૂર્ણ થયે ઉદયમાં આવે જ. અન્ય કર્મ તે તે ભવે પણ ઉદયમાં આવે અને કેટલાક વસ વીત્યા પછી પણ ઉદયમાં આવે. પરંતુ આયુષ્ય કર્મ, તે વર્તામાન આયુષ્ય પૂર્ણ થયા બાદ નવા ભવના પ્રારંક્ષમાં જ ઉદયે આવે. નવા ભવના આયુષ્યકર્મના ઉદય વખતે વર્તતે ગતિનામકર્મને ઉદય, આયુષ્યને અનુરૂપ ન હોય તે આયુષ્યને અનુરૂપ ગતિ રૂપે સંક્રમી પ્રદેશેાદયથી વેદાય છે: વળી તે આયુષ્યના પૂર્ણ ભેગવટા સુધીના કાળમાં વચ્ચે
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy