SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ જૈન દર્શનને કર્મવાદ કષાયે ઉદયમાં આવે છે. માટે જ અનંતાનુબંધી કષાયે તે સમ્યત્વના ઘાતક છે.' - ૨.અપ્રત્યાખ્યાનાવરણ કષાયોના-સમ્યગ્દર્શન પ્રાપ્ત થવા છતાં “અ” એટલે અલ્પ પણ, પ્રત્યાખ્યાન એટલે ચારિત્રનું આવરણ કરે તેવા કષા તે અપ્રત્યાખ્યાનીય કષાય કહેવાય છે. અનંતાનુબંધીય વિના અપ્રત્યાખાનીય હેય તે સમ્યકત્વ તે થવા દે છે, પરંતુ લેશમાત્ર પણ ત્યાગ ન થવા દે. તે એક વર્ષ પર્યત આત્મામાં રહેવાવાળા, દેશવિ. રતિને ઘાત કરનાર અને તિર્યંચગતિના કારણભૂત છે. અનંતાનુબંધીની અપેક્ષાએ આ કષા મંદ છે. ૩. પ્રત્યાખ્યાનાવરણ કષા-હિંસાદિ પાપ વ્યાપારના સર્વથા ત્યાગ કરવારૂપ પ્રત્યાખ્યાનને . ( સર્વવિરતિ પણાને) જે કષાય આવરે, તે પ્રત્યાખાનીયકષાય કહેવાય છે. આ કષાયમાં કોઇ વિગેરેની લાગણી અતી તીવ્રતાવાળી નહિં હોવાથી બહુતીવ્રતાવાળાં નવાં કર્મ તેનાથી બધાંતાં નથી. આમાં સાચી સમજણ અને કંઈક ત્યાગ હોય છે, પરંતુ સર્વથા ત્યાગ જીવને કરવા દેતા નથી. એટલે તે સર્વવિરતિનાઘાતક, મનુષ્યગતિના કારણે ભૂત અને ચારમાસપર્યત-રહેવાવાળા છે. ૪. સંજવલન –આ કષાય, સમ્યકૂચારિત્રનું બહુ જ ઓછામાં ઓછું આવરણ કરે છે. ચારિત્રવાળા સાધુને પણુ પરિષહાદિ પ્રાપ્ત થવાથી કંઈક કષાયયુક્ત કરે છે પરંતુ તેનાથી આત્માને ઊંડું જ નુકસાન થાય છે. જવ
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy